Junagadhના ગિરનારમાં પ્રાથમિક સુવીધામાં વધારો થાય તે દિશામાં સાધુ સંતો અને રાજકીય આગેવાનોએ માગ ચલાવી છે. ગિરનારમાં રોપ-વેની શરુઆત થઇ ચૂકી છે, પરંતુ શ્રધ્ધાળુ માટે સુવિધાનો અભાવ છે. સાધુ સંતો અને સ્થાનિક આગેવાનોને અભાવ ધ્યાને આવતા ભવનાથ સાધુ સંતો તથા ભાજપના હોદ્દેદારોએ ગિરનાર પર અંબાજી મંદિર અને દતાત્રેય કમંડળ કુંડ પર જઇ તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને મુખ્યપ્રધાન સુધી રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે.
Published On - 8:29 am, Mon, 25 January 21