સ્કોર્પિયો અને ટ્રકના ગોઝારા અકસ્માતમાં સાંખ્યયોગીની સહીત 3 મહિલાનું મોત, ધાર્મિક કાર્યક્રમથી ફરી રહ્યા હતા પરત

|

Dec 09, 2021 | 7:20 AM

Kutch: ભુજમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં સ્કોર્પિયો કાર અને ટ્રક વચ્ચે ટક્કરમાં ધાર્મિક કાર્યક્રમથી પરત ફરી રહેલી 3 મહિલાઓના મોત થયા છે.

Kutch: ભુજમાં અણધાર્યો બનાવ બન્યાના સમાચાર સામે આવ્યા છે. ભુજના માનકૂવા (Bhuj Mankuva) ગામ પાસે ગોઝારો અકસ્માત (Accident) સર્જાયો છે. આ અકસ્માતમાં સ્કોર્પિયો કાર અને ટ્રક વચ્ચે ટક્કર થયાની માહિતી સામે આવી છે. સ્કોર્પિયો કારમાં મહિલાઓ સવાર હોવાનું જાણવા મળ્યું છે. તો તેમાંથી એક મહિલા ગાડી ચલાવી રહી હતી. આ દરમિયાન ભયંકર અકસ્માત થયા તેમાં 3 મહિલાના મોત થયા છે.

વિગતમાં વાત કરીએ તો કારમાં ચાર મહિલા સવાર હતી. તેમજ તેમાંની એક મહિલા જ ડ્રાઇવ કરી રહી હતી. આ મહિલાઓ ધાર્મિક કાર્યક્રમમા હાજરી આપી પરત ફરી રહ્યાની માહિતી છે. તો દુખદ વાત એ સામે આવી છે કે મૃતકોમાં સાંખ્યયોગિ બહેનોનો પણ સમાવેશ છે. પ્રાથમિક માહિતી અનુસાર મૃત મહિલાઓ ભારાસર ગામની રહીશ હોવાનું જાણવા મળ્યું છે.

તો અહેવાલ પ્રમાણે અકસ્માત બાદ ત્યાં ટોળા એકત્ર થઈ ગયા હતા. કારમાંથી મહિલાઓને બહાર કાઢવામાં આવી હતી અને એક ઈજાગ્રસ્ત સાંખ્યયોગીનીને ભુજ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. મળેલી માહિતી અનુસાર 2 મહિલાઓ અને 2 સાંખ્યયોગીની સુખપરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવમાં ભાગ લેવા ગયા હતા. ઉત્સવ બાદ તેઓ પોતાના ઘરે ભારાસર પરત ફરી રહ્યા હતા. આ સમયે અકસ્માત થતા કારચાલક મહિલાનું મોત નીપજ્યું છે. તો ટ્રક ચાલક ત્યાંથી ફરાર થયો હોવાની માહિતી મળી છે.પોલીસે મામલામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

આ પણ વાંચો: Happpy Birthday Rahat Fateh Ali Khan : ‘આફરીન-આફરીન’ થી ‘સજદા’ સુધી, રાહત ફતેહ અલી ખાનના ગીતોએ ફેન્સના દિલમાં બનાવી અનોખી જગ્યા

આ પણ વાંચો: CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્નીનો પાર્થિવ દેહ આજે દિલ્હી લાવવામાં આવશે, શુક્રવારે કેન્ટ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર થશે

Next Video