ખેડાના વડાલી ગામે અનાજ કૌભાંડ સામે આવ્યા બાદ ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે, કારણ કે અત્યાર સુધી જે અનાજના તેઓ હકદાર હતા તે અનાજ બારોબાર સગેવગે થઈ જતું હતું. પરંતુ મામલો મામલતદાર પાસે પહોંચતા મામલતદારે સ્થળ તપાસ કરી, જેમાં ગેરરીતિ સામે આવી છે. પરંતુ તપાસ થાય તે પહેલા જ આરોપી સંચાલક ફરાર થઈ ગયો છે. સમગ્ર મુદ્દે હવે ગ્રામજનોનું શું કહેવું છે તે સાંભળો.