KHEDA : નડિયાદમાં બારદાનના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. નડિયાદ મિલ રોડ પર આવેલ બારદાનના ગોડાઉનમાં આગ લાગી છે. રેસીડેન્ટ વિસ્તાર નજીક આગ લાગતા આસપાસ રહેતા લોકોના ટોળા ઉમટ્યા હતા. અને, થોડીવાર માટે આસપાસના વિસ્તારમાં અફડાતફડી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના 7 જેટલા ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તથા, નડિયાદ ,આણંદ અને વિદ્યાનગરથી ફાયર બ્રિગેડની ટીમો પહોંચી છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જોકે, આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.
Published On - 12:47 pm, Sun, 21 March 21