વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયામાં જંગલ સફારી પાર્કનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાતને ટુરિસ્ટ પોઇન્ટ તરીકે વિકસાવવા વડાપ્રધાને કેવડીયા કોલોની અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિકાસ કર્યો છે. જેમાં જંગલ સફારીનું લોકાર્પણ થતા વિવિધ દેશના મહત્વના ટુરિસ્ટ સ્પોટ અને શહેરોને એકબીજા સાથે જોડી દેશ-વિદેશના પ્રવાસીઓેને આકર્ષવામાં આવશે. આવતીકાલે એટલે કે 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન સી-પ્લેનનું વિધિવત ઉદઘાટન કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો