Junagadh: ત્રણ દિવસ બાદ ગીરનાર રોપવે શરૂ, પર્યટકોમાં ખુશીનો માહોલ

હવામાનને કારણે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ગીરનાર રોપવે (Girnar ropeway) શરૂ કરવામાં આવ્યો છે. રોપવે શરૂ કરવામાં આવતા પર્યટકોમાં ખુશીનો માહોલ છે.

Junagadh: ત્રણ દિવસ બાદ ગીરનાર રોપવે શરૂ, પર્યટકોમાં ખુશીનો માહોલ
Girnar ropeway
| Edited By: | Updated on: Jul 23, 2021 | 8:59 AM

JUNAGADH : ગીરનાર પર્વત પર ત્રણ દિવસ સુધી અને ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. 70 થી 80 કિમી ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી સુરક્ષાના ભાગ રૂપે રોપવે બંધ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢના વિશ્વપ્રસિદ્ધ ગીરનાર પર્વત પર રોપવે (Girnar ropeway) સર્વિસ સતત ત્રણ દિવસ સુધી બંધ રાખવામાં આવી હતી. હવામાનને કારણે ગીરનાર રોપવે ત્રણ દિવસ બંધ રાખતા પર્યટકોમાં નિરાશા જોવા મળી હતી. આખરે ત્રણ દિવસ બાદ ગિરનાર રોપવે શરૂ કરવામાં આવ્યો છે. પવનની ગતિ ધીમી પડ્યા બાદ ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્રણ દિવસ બાદ ગીરનાર રોપવે શરૂ કરવામાં આવતા પર્યટકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

નોંધનીય છે કે, 70 થી 80 કિમી ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી સુરક્ષાના ભાગ રૂપે રોપવે બંધ કરવામાં આવ્યો હતો. જૂનાગઢના ગીરનાર જંગલ તેમજ આસપાસના જંગલ વિસ્તારમાં બોરદેવી, ભવનાથ વિસ્તાર, રણશીવાવ વિસ્તારમાં પણ ગઇકાલે 21 જુલાઈએ દિવસ દરમ્‍યાન વરસાદી માહોલ વચ્‍ચે અડધાથી પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.