Junagadh: 47 દિવસ બાદ દેવળિયા પાર્ક, આંબરડી પાર્ક અને સક્કરબાગ ઝૂ ખુલ્યા

|

Jun 17, 2021 | 11:33 AM

Junagadh : કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો હતો હતો. જેનાથી જૂનાગઢમાં આવેલા દેવળિયા પાર્ક,( Devaliya) આંબરડી પાર્ક(Ambardi park) અને સક્કરબાગ ઝૂ (Sakkarbaug zoo) પહેલી મેં થી બંધ કરી દેવામાં આવ્યા હતા.

Junagadh : કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો હતો હતો. કોરોનાનું સંક્ર્મણ સિંહોમાં પણ ફેલાયું હતું. સિંહોમાં કોરોના સંક્રમણ જોવા મળતા દેશના તમામ અભ્યારણ્ય, નેશનલ પાર્ક અને ઝૂ પહેલી મે 2021થી બંધ કરવામાં આવ્યા હતા. જેનાથી જૂનાગઢમાં આવેલા દેવળિયા પાર્ક,( Devaliya) આંબરડી પાર્ક(Ambardi park) અને સક્કરબાગ ઝૂ(Sakkarbaug zoo) પહેલી મેં થી બંધ કરી દેવામાં આવ્યા હતા.

પરંતુ કોરોના સંક્ર્મણ ઘટતા પ્રવાસીઓ માટે આજથી દેવળિયા સફરી પાર્ક, ધારી આંબરડી પાર્ક અને જૂનાગઢનું સક્કરબાગ ઝૂ ફરીથી ખુલ્લું મુકવામાં આવ્યું છે. 47 દિવસ બાદ ઝૂ પાર્ક ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રવાસીઓને કોરોનાની તમામ ગાઈડ લાઈન સાથે પ્રવેશ આપવામાં આવશે. તો આ સાથે જ સૅનેટાઇઝરની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

જૂનાગઢમાં સાસણ સફારી પાર્ક (Sasan Safari Park) અને નેશનલ સફારી પાર્ક (National Safari Park) 15 જૂનથી 14 ઓક્ટોબર સુધી બંધ રહેશે. ચોમાસામાં સિંહનો સંવનન કાળ (Mating Period) હોવાથી બંને પાર્ક ચાર મહિના મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવશે.

વનવિભાગ દ્વારા બંધ રાખવાનું કારણ એ છે કે ચોમાસાની ઋતુ દરમ્યાન વન્યપ્રાણી સિંહોનું મિટિંગ પરિયડ ચાલે છે આ પિરિયડ દરમ્યાન સિંહોને ખલેલ ના પહોંચે માટે દર વર્ષે સિંહોનું વેકેશન હોય છે અને 14 ઓક્ટોબરથી ફરી વિધિવત સિંહ દર્શન શરૂ કરવામાં આવશે.

Next Video