JUNAGADH : કેશોદમાં મંગલપુર બાયપાસ નજીક કાર પલટી જતા ત્રણ લોકોના મોત, 4 ઈજાગ્રસ્ત થયા

|

Oct 30, 2021 | 4:47 PM

કારનું આગળનું વ્હીલ નીકળી જતા આ સમગ્ર ઘટના બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

JUNAGADH :જૂનાગઢ જીલ્લાના કેશોદના મંગલપુર બાયપાસ ચોકડી પાસે ગોઝારો અકસ્માત સર્જાયો.કાર પલટી મારી જતા આ ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે.જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે… ઉલ્લેખનીય છે કે કુલ 7 લોકો નવસારીથી સોમનાથ દર્શને જતા હતા ..ત્યારે કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો.. જેમાં કારના ડ્રાઇવર સહિત પિતા-પુત્રનું મોત નિપજ્યું.હાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

રાજ્યમાં એક તરફ દિવાળી અને તહેવારોનો માહોલ જામ્યો છે, તો બીજી તરફ મોટા પ્રમાણમાં ભાવિકભક્તો ગિરનાર અને સોમનાથ દર્શન કરવા જતા હોય છે. કેશોદના મંગલપુર બાયપાસ ચોકડી નજીક એક ઈનોવા કાર પસાર થતા સમયે પલટી મારી છે. કારચાલકે કાબુ ગુમાવતા આ ઘટના ઘટી છે.કારનું આગળનું વ્હીલ નીકળી જતા આ સમગ્ર ઘટના બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ ઘટનામાં કારમાં કુલ 7 લોકો સવાર હતા જેમાંથી એક કારચાલક અને પિતા-પુત્ર સહીત કુલ ત્રણ લોકોના મોત થયા છે, જયારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે જુનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આ 7 લોકોનો પરિવાર સોમનાથ મહાદેવના દર્શનાર્થે જતા હતા અને રસ્તામાં આ ગમખ્વાર અકસ્માત થયો છે.

આ પણ વાંચો : Rajkot : ફરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શારીરિક શોષણનો વિવાદ, કાયદાભવનના હેડ સામે ફરિયાદ

આ પણ વાંચો : સુરેન્દ્રનગરના લખતરના એક કા ડબલની સ્કીમમાં લોકો છેતરાયા, પોલીસ ફરિયાદ દાખલ

Published On - 4:43 pm, Sat, 30 October 21

Next Video