કોરોનાને લઈને જૂનાગઢનો (Junagadh) શિવરાત્રીનો મેળો રદ કરવામાં આવ્યો છે. જેને લઈને કલેકટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. સામાન્ય લોકો માટે ભવનાથ તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તો 11 માર્ચ સુધી રોપ વે સર્વિસ પણ બંધ કરવામાં આવી છે. સોનાપુરી સ્મશાન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.