JUNAGADH : સકકર બાગ ઝૂમાં 8 સિંહને લાવવામાં આવ્યા છે. આ એ જ સિંહ છે, જે રાજકોટના જેતપુર તેમજ આસપાસના વિસ્તારોમાં પહોંચી ગયા હતા. જ્યાં ગૌશાળામાં ઘુસીને ગાયોનું મારણ કર્યું હતું. આ 8 સિંહનું રાજકોટ સામાજિક વનીકરણ વિભાગે રેસ્ક્યૂ કર્યું હતું. જે બાદ તમામ સિંહને હાલ સકકર બાગ ઝૂ ખાતે લાવવામાં આવ્યા છે. અહીંથી ઉચ્ચ અધિકારીની સૂચના બાદ તમામને ફરી જંગલમાં છોડવામાં આવશે.
Published On - 2:13 pm, Fri, 29 January 21