Jamnagar : સામાન્ય રીતે વિપક્ષના સભ્યોની ફરીયાદ હોય છે. તેમનુ અધિકારી સાંભળતા નથી, કે તેમના કામ થતા નથી. પરંતુ આવી ફરીયાદ શાસકપક્ષના સભ્યો પણ કરતા થયા છે. જુઓ શું છે જામનગર જીલ્લા પંચાયતનો આ મામલો.
જામનગર જીલ્લા પંચાયાતમાં ભાજપનુ શાસન છે, તેમાં ધુંવાવ બેઠકના સભ્ય હસમુખ કણઝારીયાએ એવા આક્ષેપ કર્યા છે. શાસકપક્ષમાં હોવા છતા કોઈ અધિકારીઓ તેમનુ સાંભળતા નથી. અને બે વર્ષથી કોઈ કામ કર્યુ નથી. રસ્તા બાબતે કેટલાક કામની માંગણી બે વર્ષથી કરવામાં આવી છે. પરંતુ કામ થતા નથી.
હસમુખ કણઝારીયા આક્ષેપ કર્યા અગાઉ તે વિપક્ષના નેતા હતા. હાલ શાસક પક્ષમાં આવ્યા બાદ પણ વિપક્ષના સભ્ય હોય તેવુ વર્તન કરવામાં આવે છે. જો કે આ બાબતે અધિકારી સ્પષ્ટ જણાવ્યુ કે તેમના આક્ષેપમાં કોઈ તથ્થ નથી. હાલ કોરોના કારણે કામમાં વિલંબ થયો છે.
આ પણ વાંચો : Tapi : જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં આજ દિન સુધી કોરોના પોઝિટિવનો એક પણ કેસ નોંધાયો નથી!