JAMNAGAR : આજે શ્રાવણ સુદ સાતમ, સૌરાષ્ટ્રના પેરીસ ગણાતા જામનગરનો 482મો જન્મદિવસ

|

Aug 15, 2021 | 3:43 PM

ઈ.સ.1543 અને વિક્રમ સવંત 1596માં શ્રાવણ સુદ સાતમના દિવસે જામ રાવળે નગર સ્થાપ્યું, જે પાછળથી નવાનગર તરીકે જાણીતુ થયુ અને નવાનગર હાલ જામનગર તરીકે ઓળખાય છે.

JAMNAGAR : આજે શ્રાવણ સુદ સાતમ, સૌરાષ્ટ્રના પેરીસ ગણાતા જામનગરનો 482મો જન્મદિવસ
JAMNAGAR : the 482nd birthday of Jamnagar, the Paris of Saurashtra

Follow us on

JAMNAGAR: આજે શ્રાવણ સુદ સાતમ એટલે જામનગર શહેરનો સ્થાપના દિવસ છે. તેના ઈતિહાસ પર નજર કરીએ તો શ્રાવણ સુદ સાતમ વિક્રમ સવંત 1596માં કચ્છ કિનારેથી રણ ઓળંગી સેના સાથે આવેલા જામરાવળે વવાણીયા બંદર પાસે મોરાણા ગામ જીત્યું. આ પ્રદેશનું શાસન દેદાતમાચી પાસે હતુ, તેનો વધ કરીને આમરણ અને જોડીયા પંથક જીત્ય. ત્યારથી જામરાવળે આગેકુચ કરને ખીલોશ ઉપર વિજય મેળવ્યો.

જામરાવળ જેમ જેમ પ્રદેશો જીતતા ગયા, તેમનુ સામ્રાજય વિસ્તરતુ ગયુ હતુ. જામરાવળે મધ્યસ્થ રાજધાનીની જરૂર જણાતા જુના નાગના પાસેથી રંગમતી અને નાગમતી નદીના સંગમ સ્થાને ઈ.સ.1543 અને વિક્રમ સવંત 1596માં શ્રાવણ સુદ સાતમના દિવસે બે ગાવ દુર નગર સ્થાપ્યું, જે પાછળથી નવાનગર તરીકે જાણીતુ થયુ અને નવાનગર હાલ જામનગર તરીકે ઓળખાય છે.

જામનગરના રાજા દ્વારા જામનગરની સ્થાપના બાદ શહેરના વિકાસ અનેક કામગીરી કરવામાં આવી, જેમાં જામરાવળ શહેરને સ્થાપના બાદ પાયાની સુવિધાઓ પુરી પાડી હતી. તે બાદ રાજા રણમલે શહેરની મધ્યમાં રણમલ તળાવ બનાવ્યું હતુ. અને બાદ રાજ અજીતસિહંજીએ ક્રિકેટની દુનિયમાં જામનગરને સ્થાન આપ્યુ. જામનગર તમામ રાજવીઓ શહેરને કંઈક નવુ આપીને અનોખી ઓળખ આપી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જામનગરનું રણમલ તળાવ

આજે શહેરના સ્થાપના દિવસે રાજપુત સમાજ દ્રારા જે સ્થાપનાની ખાંભી છે.તેની વિધિવત પુજા કરવામાં આવે છે. જામનગર શહેરની સ્થાપનાથી અત્યાર સુધીમાં અનેક ઉપનામ મળ્યા છે. જેમાં હાલાર, નવાનગર, જામનગર, છોટેકાશી નામથી ઓળખાય છે. તેમજ જામનગર આયુર્વેદ યુનિવર્સિટી, બાંધણી, ક્રિકેટ, બ્રાસ પાર્ટ સહીત અનેક બાબત માટે પ્રખ્યાત બન્યુ છે.

Published On - 3:43 pm, Sun, 15 August 21

Next Article