Indian Air Force: હર કામ દેશ કે નામ સૂત્રને ધ્યાનમાં રાખીને ભારતીય વાયુસેના હવે મેડિકલ ઈમરજન્સીનાં સમયમાં દેશની મદદે આવી પહોચ્યું છે. દેશનાં 7 શહેરથી ક્રાયોજેનિક ઓક્સિજનનો જથ્થો એરલિફ્ટ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ માટે એરફોર્સનું ગ્લોબમાસ્ટર C 17 જહાજ જામનગર ખાતે આવી પહોચ્યું હતું. જામનગર, રાંચી, ભુવનેશ્વર ઓક્સિજનનો જથ્થો એરલિફ્ટ કરીને પોહચાડવાની શરૂઆત કરાઈ છે. ઓકિસજનના બીજા લોટને દુબઇથી સિંગાપોર થઈ પાનાઘર એરબેઝ પહોંચાડવાની કામગીરી પણ યથાવત હોવાનું એરફોર્સ દ્વારા તેના ટ્વિટર હેન્ડલ પર જણાવવામાં આવ્યું છે.
આ અગાઉ પણ ઓક્સિજન માટે મચેલી ભાગદોડ વચ્ચે મોરચો વાયુસેનાએ સંભાળી લીધો છે. ભારતીય વાયુસેનાએ વિદેશથી ઓક્સિજન ટેન્કર લાવવાનું ઓપરેશન શરૂ કરી દીધું છે. વાયુસેનાનુ સી-17 માલવાહક વિમાન સિંગાપુરના ચાંગી એરપોર્ટ પર પહોંચ્યું હતું અને અહીથી ચાર ઓક્સિજન ટેન્કર લઇને ભારત આવવા માટે રવાના થયું. હિંડન એરબેસથી આ વિમાનોએ રાત્રે 2 વાગે ઉડાન ભરી અને સવારે 7.45 કલાકે સિંગાપુરના ચાંગી એરપોર્ટ પર પહોંચ્યા હતા. સિંગાપુરથી આ વિમાન પન્નાગઢના અર્જન સિંહ એરબેસ પર લાવવામાં આવ્યા હતા.