India Fights Corona: સતત સંક્રમણમાં ઘટાડા બાદ દેશમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું,

|

May 05, 2021 | 7:32 AM

India Fights Corona:  દેશમાં કોરોનાનાંસંક્રમણમાં સતત ઘટાડા બાદ દેશમાં ફરી કોરોનાએ માથુ ઉંચક્યું છે. ગઇકાલે દેશમાં કોરોનાના નવા 3 લાખ 82 હજાર 602 કેસ નોંધાયા છે તો ગઇકાલે એક જ દિવસમાં કોરોનાના 3,783 દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો.

India Fights Corona:  દેશમાં કોરોનાનાંસંક્રમણમાં સતત ઘટાડા બાદ દેશમાં ફરી કોરોનાએ માથુ ઉંચક્યું છે. ગઇકાલે દેશમાં કોરોનાના નવા 3 લાખ 82 હજાર 602 કેસ નોંધાયા છે તો ગઇકાલે એક જ દિવસમાં કોરોનાના 3,783 દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો. ગઇકાલે એક જ દિવસમાં 3 લાખ 37 હજાર 548 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  હાલ 34 લાખ 84 હજારથી વધારે કેસ સક્રિય છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્લી તથા ગુજરાતની પરિસ્થિતિ અત્યંત ગંભીર બતાવવામાં આવી રહી છે.

ગુજરાતનાં આંકડાઓની વાત કરીઓ તો રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 13,050 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 131 દર્દીઓના મોત થયા. નવા મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 7,779 પર પહોંચ્યો છે તો 12,121 દર્દીઓ સાજા થવાની સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 4 લાખ 64 હજાર 396 પર પહોંચ્યો છે જોકે રાજ્યમાં હજુ પણ 1 લાખ 48 હજાર 297 એક્ટિવ કેસ છે જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 778 પર પહોંચી છે.

રાજ્યના શહેરોની જો વાત કરીએ તો, અમદાવાદમાં આક્રમક બનેલો કોરોના મંદ પડ્યો છે અને નવા 4,754 કેસ સાથે 23 દર્દીઓના મોત થયા છે તો સુરતમાં 1,574 કેસ સાથે 10 દર્દીઓના મોત નિપજ્યા જ્યારે વડોદરામાં 943 દર્દીઓ સાથે 13ના મોત થયા. આ તરફ રાજકોટમાં 726 કેસ સાથે 14 દર્દીઓ કોરોનાનો શિકાર બન્યા તો જામનગરમાં 14 દર્દીઓના મોત સાથે નવા 728 કેસ નોંધાયા તો ભાવનગરમાં 10 અને જૂનાગઢમાં 7 દર્દીઓ કોરોના સામેનો જંગ હાર્યા. આ સિવાય બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 4-4 દર્દીઓના મોત થયા તો મહેસાણા, કચ્છ, સાબરકાંઠા અને પાટણમાં 3-3 દર્દીના મોત થયા જ્યારે ખેડા, દાહોદ, અમરેલી, છોટાઉદેપુ અને દ્વારકામાં 2-2 દર્દીના મોત થયા.

 

 

Next Video