Bhavnagar : લેપ્રેસી હોસ્પિટલને રીનોવેટ કરીને, કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની સુવિધા સાથે 150 બેડ વધાર્યા

|

May 02, 2021 | 2:43 PM

Bhavnagar શહેર અને જિલ્લામાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત કોરોનાને રોકવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Bhavnagar શહેર અને જિલ્લામાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત કોરોનાને રોકવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભાવનગરમાં સારવાર લેવા માટે આવતા તમામ કોરોનાના દર્દીઓને બેડ અને સારવાર મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ગઈ કાલે શહેર અને જિલ્લામાં 512 રેકોર્ડ બ્રેક પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે ભાવનગરમાં હાલ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં મોટી માત્રા માં બેડ વધારવામાં આવેલ છે

આમ છતાં હજુ સ્થિતિને પોહચી વળવા ભાવનગરમા મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ બનાવેલ લેપ્રેસિ હોસ્પિટલ જે હાલમાં ઘણા સમયથી બંધ હોય પરંતુ કોરોનાની સ્થિતિ ને પોહચી વળવા લેપ્રેસિ હોસ્પિટલને રીનોવેટ કરીને 150 જેટલા નવા બેડો ઓક્સિજનની સુવિધા સાથે શરૂ કરાતા કોરોનાના દર્દીઓ માટે રાહતના સમાચાર છે. અને આ હોસ્પિટલ કુદરતી વાતાવરણ વચ્ચે હોય તેથી દર્દીઓ જલ્દીથી સાજા પણ થઈ રહ્યા છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં સારવાર લેવા માટે આવતા તમામ કોરોના દર્દીઓને બેડ અને સારવાર મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધર્યાં છે. ગઈ કાલે  ભાવનગર શહેર અને જિલ્લામાં 512 રેકોર્ડ બ્રેક પોઝિટિવ કેસ નોંધાયા હતા

 

 

 

ભાવનગર કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા જણાવામાં આવ્યું છે કે યુધ્ધનાં ધોરણે જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેપ્રેસિ સેન્ટર કે જે જુના સમયે સેનેટોરીયમ તરીકે કામ આવતું હતું અને તેને રિપેર કરવાનું કામ શરુ કર્યું હતું. અને તાત્કાલીક તેમાં ઓક્સિજન લાઈન નાખી અને રિપેર કરી અને ઓક્સિજનનો પુરતો જથ્થો મળી રહે તે બાબતની તમામ વ્યવસ્થા ગોઠવી અને એને આપણે શરુ કરી દિધી છે.

આ હોસ્પીટલ સર્ટી હોસ્પિટલનું એક્સટેન્શન છે. એટલે સર્ટી હોસ્પિટલમાં જે દર્દીઓ 10 લિટર જેટલા ઓક્સિજનની જરુરત વાળા હોય તેમને સીધા આ ફેસીલીટીમાં રિફર કરવામાં આવે છે.

આ પણ વાંચો :- સુરતના કતારગામમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના આઈસોલેશન સેન્ટરમાં 116 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

આ પણ વાંચો :- West Bengal Election Result 2021: સુવેન્દુ અધિકારી માટે નંદીગ્રામ બેઠક પર મમતા બેનર્જીને હરાવવી કેમ મહત્વનું છે? જાણો રાજકારણની રમત

Next Video