રાજકોટમાં કોરોનાથી મોત કેટલા 34 કે 50 ? સરકારી ચોપડે 34, ટીવી9ના રીયાલીટી ચેકમાં 50 મોત સામે આવ્યા

|

Apr 09, 2021 | 2:48 PM

કોરોનાથી ( corona) મૃત્યુ પામનારા દર્દીઓના આંકડા કેમ છુપાવવામા આવે છે તે અંગે કોઈ પ્રધાન ( minister) કે અધિકારી ( officer) ખોખારીને કહેતુ નથી. રાજકોટમાં કોરોનાથી દર કલાકે બે વ્યકિતઓના નિપજે છે મોત

રાજકોટમાં કોરોનાથી મોત કેટલા 34 કે 50 ? સરકારી ચોપડે 34, ટીવી9ના રીયાલીટી ચેકમાં 50 મોત સામે આવ્યા
કોરોનાથી મોત કેટલા 34 કે 50 ?

Follow us on

ગુજરાતમાં કોરાનાથી corona મૃત્યુ પામનારા દર્દીઓનો સાચો આંકડો છુપાવવામાં આવતો હોવાની વાતને ટીવી9 ગુજરાતી ન્યુઝ ચેનલે વધુ એકવાર ઉજાગર કરી છે. રાજકોટમાં ( rajkot ) છેલ્લા 24 કલાકમાં 34 જ વ્યક્તિઓ કોરોનાની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓમાંતી 34 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું સરકાર ચોપડે દર્શાવ્યુ છે. જ્યારે ટીવી9 ગુજરાતી ન્યુઝ ચેનલે કરેલા રિલાલીટી ચેકમાં મરણઆંક 50નો સામે આવ્યો છે. એટલે કે 16 દર્દીઓના મોતને સરકારી આંકડામાં છુપાવાયા છે.

ટીવી9 ગુજરાતીએ સ્મશાનગૃહમાં જઈને છેલ્લા 24 કલાકમાં કરેલા અગ્નિ સંસ્કારની તપાસ કરતા, રામનાથપરા પરા સ્મશાનગૃહમાં 11 મૃતદેહ લવાયા હતા. મવડી સ્મશાનગૃહ ખાતે 12 મૃતદેહને અગ્નિસંસ્કાર અપાયા છે. મોટામવાના સ્મશાનમાં 10, બાપુનગર સ્મશાનગૃહમાં 13 મૃતદેહ લવાયા છે. તો કબ્રસ્તાનમાં પણ કોવિડ19ની ગાઈડલાઈનથી 4 મૃતદેહની દફનવીધી કરવામાં આવી હતી. આમ કુલ 50 વ્યક્તિઓના કોરોનાથી મોત નિપજ્યા હોવાનું સામે આવ્યુ છે.
રાજકોટના વિવિધ સ્મશાનગૃહમાં મૃતદેહના અગ્નિ સંસ્કાર માટે ઓછામાં ઓછા 12 કલાકથી 24 કલાક સુધીની વેઈટીગ લીસ્ટ છે. કેટલાક કિસ્સામાં મૃતદેહને સત્તાવાળાઓ દ્વારા અગ્નિસંસ્કાર કર્યા બાદ, મૃતકના સ્વજનોના મૃતદેહ લઈ જવા માટે ફોન કરાઈ રહ્યાં છે. તો કેટલાક કિસ્સામાં પોન કરવા છતા સમયસર મૃતદેહ ના લઈ જવાતા છેવટે સત્તાવાળાઓ દ્વારા અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. એક સાથે બે બે મૃતદેહને શબવાહિનીમાં અંતિમધામ પહોચાડવામાં આવી રહ્યાં છે.

કોરોનાથી ( corona) મૃત્યુ પામનારા દર્દીઓના આંકડા કેમ છુપાવવામા આવે છે તે અંગે કોઈ પ્રધાન ( minister) કે અધિકારી ( officer) ખોખારીને કહેતુ નથી. રાજકોટમાં કોરોનાથી દર કલાકે બે વ્યકિતઓના નિપજે છે મોત

Next Video