
જે શિક્ષકો મેડિકલી અનફિટ હોય તેમણે સ્વૈચ્છિક કે ફરજિયાત નિવૃતિ લઇ લેવી. આ તઘલઘી પરિપત્ર કર્યો છે ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ, રસીકરણ માટે શિક્ષકોને કરાયેલા ઓર્ડર રદ કરાવેલા શિક્ષકો જોગ આ પરિપત્ર કરવામાં આવતા શિક્ષણ આલમમાં રોષ ફેલાયો છે. આ પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે અસક્ષમ શિક્ષકોએ સ્વૈચ્છિક કે ફરજિયાત નિવૃતિ લઇ લેવી જોઇએ જોકે વિવાદીત પરિપત્રને પગલે શિક્ષક સંઘે પોતાની નારાજગી દર્શાવી છે અને મુખ્યપ્રધાન તથા શિક્ષણપ્રધાનને રજૂઆત કરવા તજવીજ હાથ ધરી છે. શિક્ષક સંઘે માગ કરી છે કે આ વિવાદીત પરિપત્ર રદ કરવો જોઇએ અન્યથા શિક્ષક સંઘ આંદોલન કરશે.