
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ખેડૂત દર વર્ષે દરેક પાકમાં જીવજંતુ તેમજ કીટકોની સમસ્યાનો સામનો કરે છે તેના કારણે તેમને ખૂબ જ મોટુ નુકશાન થાય છે. ખેડૂતો કોઈ પણ પાકની વાવણી કરે ત્યારે સૌથી મોટો પ્રશ્ન જીવાતોના ઉપદ્રવનો હોય છે જેમાં દવા છાંટવા છતા પણ જીવાતોનો સંપૂર્ણ નાશ થતો નથી. આ સમસ્યાના સમાધાન માટે પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઇએ સોલરથી ચાલતું સોલર ટ્રેપ બનાવ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ સોલર ટ્રેપને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તેને સરળતાથી ખેતરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ અને મૂકી શકાય છે. સોલર ટ્રેપની અસર એક એકર જમીનનાં વિસ્તારમાં જોવા મળે છે.
Published On - 5:41 am, Sat, 15 June 19