નર્મદા નદીમાં છોડાયેલા પાણી ખેતરોમાં ફરી વળ્યા, કેળ કપાસ શેરડી શાકભાજીના પાકનો સફાયો, માનવ સર્જીત આફત હોવાનો ખેડૂતોનો આક્ષેપ

|

Sep 19, 2020 | 3:18 PM

સરદાર સરોવર નર્મદા બંધમાંથી 10 લાખ ક્યુસેકથી વધુ છોડાયેલુ પાણી, નર્મદા નદીની સાથેસાથે ભરૂચની 10 હજાર હેકટર ખેત જમીનમાં ફરી વળ્યું. બંધમાંથી છોડાયેલા પાણીને કારણે, ભરૂચ જિલ્લામાં વાવેતર કરાયેલા કેળ, કપાસ, શેરડી અને શાકભાજીના પાકનો સફાયો થઈ ગયો છે. જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. અને આના માટે જે કોઈ જવાબદાર હોય તેની સામે […]

નર્મદા નદીમાં છોડાયેલા પાણી ખેતરોમાં ફરી વળ્યા, કેળ કપાસ શેરડી શાકભાજીના પાકનો સફાયો, માનવ સર્જીત આફત હોવાનો ખેડૂતોનો આક્ષેપ

Follow us on

સરદાર સરોવર નર્મદા બંધમાંથી 10 લાખ ક્યુસેકથી વધુ છોડાયેલુ પાણી, નર્મદા નદીની સાથેસાથે ભરૂચની 10 હજાર હેકટર ખેત જમીનમાં ફરી વળ્યું. બંધમાંથી છોડાયેલા પાણીને કારણે, ભરૂચ જિલ્લામાં વાવેતર કરાયેલા કેળ, કપાસ, શેરડી અને શાકભાજીના પાકનો સફાયો થઈ ગયો છે. જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. અને આના માટે જે કોઈ જવાબદાર હોય તેની સામે પગલા ભરવાની માંગ કરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, આ તારાજી માનવસર્જીત તારાજી છે.

મધ્યપ્રદેશમા વરસેલા ભારે વરસાદ અને ઈન્દિરા સાગર ડેમમાંથી છોડાયેલા પાણી ભરૂચમાં ફરી વળ્યા છે. પરંતુ શરુઆતમાં જે પાણી છોડાયુ તેની સાથે જ નર્મદા ડેમમાંથી પાણી છોડવાની જરૂર હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે. હવામાન વિભાગે આગાહી કરી હતી તેને નજર અંદાજ કરીને સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી ભરી રાખવાની લાલચે આ તારાજી સર્જાઈ હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યાં છે. ખેડૂતોનું કહેવું છે કે, શા માટે અને કોના કહેવાથી હવામાન વિભાગની આગાહીને અવગણવામાં આવી. જ્યારે પાણીનો વિપૂલ જથ્થો સરદાર સરોવરમાં આવી રહ્યો હતો ત્યારે કેમ ધીમે ધીમે સરદાર સરોવરમાંથી પાણી ના છોડાયુ. નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી ખેતોPreview (opens in a new tab)રમાં ફરી વળ્યા છે તે માનવ સર્જીત આપત્તિ હોવાનું કહેવું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચોઃપોલીસ જ ચોરી કરે તો..! 12 પોલીસ કર્મીએ કરી વીજ ચોરી, એસપીએ કહ્યુ આવાસ ખાલી કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 9:54 am, Tue, 1 September 20

Next Article