સરદાર સરોવર નર્મદા બંધમાંથી 10 લાખ ક્યુસેકથી વધુ છોડાયેલુ પાણી, નર્મદા નદીની સાથેસાથે ભરૂચની 10 હજાર હેકટર ખેત જમીનમાં ફરી વળ્યું. બંધમાંથી છોડાયેલા પાણીને કારણે, ભરૂચ જિલ્લામાં વાવેતર કરાયેલા કેળ, કપાસ, શેરડી અને શાકભાજીના પાકનો સફાયો થઈ ગયો છે. જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. અને આના માટે જે કોઈ જવાબદાર હોય તેની સામે પગલા ભરવાની માંગ કરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, આ તારાજી માનવસર્જીત તારાજી છે.
મધ્યપ્રદેશમા વરસેલા ભારે વરસાદ અને ઈન્દિરા સાગર ડેમમાંથી છોડાયેલા પાણી ભરૂચમાં ફરી વળ્યા છે. પરંતુ શરુઆતમાં જે પાણી છોડાયુ તેની સાથે જ નર્મદા ડેમમાંથી પાણી છોડવાની જરૂર હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે. હવામાન વિભાગે આગાહી કરી હતી તેને નજર અંદાજ કરીને સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી ભરી રાખવાની લાલચે આ તારાજી સર્જાઈ હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યાં છે. ખેડૂતોનું કહેવું છે કે, શા માટે અને કોના કહેવાથી હવામાન વિભાગની આગાહીને અવગણવામાં આવી. જ્યારે પાણીનો વિપૂલ જથ્થો સરદાર સરોવરમાં આવી રહ્યો હતો ત્યારે કેમ ધીમે ધીમે સરદાર સરોવરમાંથી પાણી ના છોડાયુ. નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી ખેતોPreview (opens in a new tab)રમાં ફરી વળ્યા છે તે માનવ સર્જીત આપત્તિ હોવાનું કહેવું છે.
આ પણ વાંચોઃપોલીસ જ ચોરી કરે તો..! 12 પોલીસ કર્મીએ કરી વીજ ચોરી, એસપીએ કહ્યુ આવાસ ખાલી કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 9:54 am, Tue, 1 September 20