Hanuman Jayanti 2021: નમો હનુમતેનાં નાદ સાથે હનુમાન જયંતિએ સાળંગપુર મંદિર ગુંજી ઉઠ્યું, ભગવાનને ચઢાવાયા 6.50 કરોડનાં સુવર્ણ વાઘા, કરો દર્શન

|

Apr 27, 2021 | 10:42 AM

Hanuman Jayanti 2021: હનુમાન જયંતિના પાવન પર્વે સાળંગપુર ધામ ધમધમી રહ્યું છે. આ અવસરે અમે આપને કષ્ટભંજનદાદાના સુવર્ણ અને હીરાજડિત વાઘાના દર્શન કરાવી રહ્યાં છીએ. દાદાના આ વાઘા કેવી રીતે તૈયાર થયા તેનો એક્સ્ક્લૂઝિવ મેકિંગ વીડિયો બતાવવાનો પ્રયાસ કર્યો છે. કષ્ટભંજન દેવના આ વાઘાની કુલ કિંમત રૂપિયા 6.50 કરોડ છે.

Hanuman Jayanti 2021: હનુમાન જયંતિના પાવન પર્વે સાળંગપુર ધામ ધમધમી રહ્યું છે. આ અવસરે અમે આપને કષ્ટભંજનદાદાના સુવર્ણ અને હીરાજડિત વાઘાના દર્શન કરાવી રહ્યાં છીએ. દાદાના આ વાઘા કેવી રીતે તૈયાર થયા તેનો એક્સ્ક્લૂઝિવ મેકિંગ વીડિયો બતાવવાનો પ્રયાસ કર્યો છે. કષ્ટભંજન દેવના આ વાઘાની કુલ કિંમત રૂપિયા 6.50 કરોડ છે.

આ વાઘામાં 8 કિલો સોનાનો ઉપયોગ થયો છે. આ વાઘા બનાવવા માટે 22 ડિઝાઈર્સની ટીમ અપોઈન્ટ કરવામાં આવી હતી. આ વાઘાનું મુખ્ય કામ અંજારના હિતેષભાઈ સોનીએ કર્યું છે. આ ઉપરાંત કેટલુંક કામ રાજકોટ અને જયપુરમાં પણ કરાવવામાં આવ્યું છે. આ વાઘા બનાવવા માટે ડિઝાઈનર્સ સહિત 100 જેટલા સોનીઓની મદદ લેવાઈ હતી.

આ લોકોએ 1050 કલાકની મહેનત બાદ દાદાના આ વાઘા તૈયાર કર્યા હતા. આ વાઘાને સંપૂર્ણ તૈયાર થવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો. દાદાના મુગટ અને કુંડળમાં રિઅલ ડાયમંડ લગાડવામાં આવ્યા છે જેની કિંમત 1 કરોડ રૂપિયા છે. આ સુવર્ણ અને હીરાજડિત વાઘામાં અર્વાચીન અને પ્રાચીન સુવર્ણકળાનું કોમ્બિનેશ જોવા મળે છે. જેમાં રિઅલ ડાયમંડ અને એમરલ્ડ સ્ટોનની સાથે રિઅલ રુબી પણ જડવામાં આવ્યું છે.

આ ઉપરાંત થ્રીડી વર્ક, બિકાનેરી મીણો, પેઈન્ટીંગ મીણો, ફિલીગ્રી વર્ક અને સોરોસ્કી પણ જડેલું છે. આ મહામૂલા વાઘામાં એન્ટીક વર્કની સાથેસાથે રિઅલ મોતી પણ લગાડવામાં આવ્યા છે. આ વાઘા બનાવવાનું કામ વિવેકસાગર સ્વામીની દેખરેખમાં હેઠળ થયું છે. આ માટે ઘણી બધી ડિઝાઇન બનાવીને તપાસવામાં આવી હતી. સમયાંતરે સંતોના માર્ગદર્શનથી આ ફાઈનલ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, દાદાના આ સુવર્ણજડિત વાઘા કેશપ્રસાદ સહિત મહંત વિષ્ણુપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે

 

Next Video