Gujarat Curfew: રાજ્યમાં આગામી 20 મે સુધી કરફ્યુ લંબાવવામાં આવે એવી શક્યતા, કોર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય

|

May 11, 2021 | 5:06 PM

ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે, જેની મુદત આજે પૂર્ણ થઈ રહી છે.

ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે, જેની મુદત આજે પૂર્ણ થઈ રહી છે. કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી, જેથી આજે મળનારી કોર કમિટીની બેઠકમાં હાલમાં કર્ફ્યૂનો સમય જે રાત્રિના 8થી સવારના 6 સુધીનો છે, એને 20 મે સુધી લંબાવવામાં આવે એવી શક્યતા છે.

રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના કેસની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ મોતના આંકડાની સાથે શહેરોની સાથે ગામડાઓ સુધી ફેલાયેલા કોરોનાને કાબૂમાં લેવા સરકાર હજુ કોઈ જોખમ લેવા માગતી નથી. પરિણામે ગુજરાતમાં કોરોનાના કેસો 10 હજારથી ઓછા થાય, સાથે સાથે રિકવરી રેટ 85 ટકાથી ઉપર જાય તે પછી જ કર્ફયૂ અને નિયંત્રણો ઓછાં કરવામાં આવે એવી શક્યતા છે.

Next Video