Gujarat Highcourt Breaking: રાજ્ય સરકારની કામગીરી સામે સુઓમોટો PIL, આધારકાર્ડથી સારવારથી લઈ 108 એમ્બ્યુલન્સ મુદ્દે ધારદાર રજૂઆત

|

Apr 27, 2021 | 1:37 PM

Gujarat Highcourt Breaking: રાજ્ય સરકારની કોરોનાની કામગીરી અંગે સુઓમોટો PIL પર ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી, 900 બેડની ધન્વંતરી કોવિડ હોસ્પિટલ ચાલુ થઈ તેમ છતાંય હોસ્પિટલ ની બહાર દર્દીઓ મરી રહ્યા છે. 675 એમ્બ્યુલન્સની સામે રોજના 2 હજારથી વધુ કેસ આવી રહ્યા છે.એડવોકેટ એસો વતી એડવોકેટ ઓમ કોટવાલે રજૂઆત કરી

Gujarat Highcourt Breaking:રાજ્ય સરકારની કોરોનાની કામગીરી અંગે સુઓમોટો PIL પર ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારે HCમાં રજૂ કરેલા સોગંદનામા પર આજે હાઇકોર્ટ સુનાવણી હાથ ધરાઈ. રાજ્ય સરકારે વિસ્તૃત રીતે રજૂ કરેલા એફિડેવિટમાં પોતાનો બચાવ કર્યો છે તો દર્દીઓને સારવાર સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા સરકારે કરી હોવાનો એફિડેવિટમાં દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રેમડેસિવિર અને ઓક્સિજન પ્લાન્ટ અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે કોરોનાની બેકાબૂ સ્થિતિ વચ્ચે પણ લૉકડાઉન કે કર્ફ્યુ વિશે કોઇ ઉલ્લેખ નથી. મહત્વનું છે કે, હાઇકોર્ટે લૉકડાઉન અથવા કર્ફ્યુના નિયમો કડક બનાવવા નિર્દેશ આપ્યો હતો.

સુનાવણીમાં Amc દ્વારા બનાવાયેલા નિયમ પર એડવોકેટ આનંદ યાજ્ઞિકે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે Amc દ્વારા જે લોકો અમદાવાદમાં રહેતા હોય એમને જ ટ્રીટમેન્ટ આપવાનું નક્કી કરાયું જે અયોગ્ય છે. માત્ર આધારકાર્ડ ને જ સારવાર માટે વેલીડ માનવામાં આવે છે જે યોગ્ય નથી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટ પણ ના પાડી છે, સારવાર માટે કોઈ પણ પુરાવો માન્ય રાખવો જોઈએ.

તો 108 ફરજિયાત હોવા મામલે એડવોક્ટ અમિત પચાલે કોર્ટ નું ધ્યાન દોર્યું હતું કે 108 સમયસર આવી રહી નથી, પ્રાઇવેટ સાધનમાં સારવાર આપવામાં નથી આવતી. ગઈકાલે જ ધન્વન્તરી હોસ્પિટલની બહાર 2 દર્દી મરી ગયા. પ્રાઇવેટ હોસ્પિટલમાં જે 20% બેડ સરકારી છે તેની ટકવારી વધારીને 50% કરવી જોઈએ તેવો મત આનંદ યાજ્ઞિકે વ્યક્ત કર્યો હતો.

કોર્પોરેશનની હોસ્પિટલોમાં શહેરીજનોને જ દાખલ કરવામાં આવે છે. આવા કપરા સમયમાં હાઇકોર્ટે એવું ડાયરેક્શન કરવું જોઈએ કે જેમાં કોઈ પરિવર્તન લાવવું જોઈએ. એસવીપી, એલ.જી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, વીએસ હોસ્પિટલમાં 108 સિવાયનાં દર્દીઓને દાખલ કરવામાં નથી આવી રહ્યા. એડવોકેટ એસો. વતી એડવોકેટ અમિત પંચાલે કોર્ટમાં રજૂઆત કરી હતી. સરકારી અને કોર્પોરેશનની હોસ્પિટલમાં 108માં આવતા કોવિડ દર્દી ને જ દાખલ કરવામાં આવે છે. ગાઈડલાઈન પ્રમાણે કોઈ દર્દીને દાખલ કરવાનીના પાડી શકાય નહીં.

900 બેડની ધન્વંતરી કોવિડ હોસ્પિટલ ચાલુ થઈ તેમ છતાંય હોસ્પિટલ ની બહાર દર્દીઓ મરી રહ્યા છે. 675 એમ્બ્યુલન્સની સામે રોજના 2 હજારથી વધુ કેસ આવી રહ્યા છે.એડવોકેટ એસો વતી એડવોકેટ ઓમ કોટવાલે રજૂઆત કરી હતી કે અમદાવાદ મનપાએ અમદાવાદનો નાગરિક બહારના રાજ્યમાંથી આવ્યો હોય અમદાવાદ પરત ફર્યો હોય અને તેના આધારકાર્ડમાં સરનામું અમદાવાદનું જ હોય તો RTPCR રિપોર્ટ મરજિયાત કર્યો હતો આ પ્રકારનો નાગરિક બહાર ફરે તો સંક્રમણ વધી શકે છે.

આ સાથે જ ઓક્સિજનનું ઉત્પાદન વધારવાની માગ અંગે રજુઆત કરવામાં આવી હતી. હાલ માં ગુજરાતમાં 300 મેટ્રિક ટનની ઘટ છે, અત્યારે 5000 મેટ્રિક ટન પર ડે ની જરૂર છે. ડિમાન્ડ સપ્લાયની ચેન તૂટી ગઈ છે. ડિસ્ટ્રીબ્યુશન ઇસ્યુ ના કારણે ઓક્સિજનની અછત છે. રાજ્યની તમામ મોટી હોસ્પિટલને હાઇકોર્ટ ડાયરેક્શન આપે છે પોતાનું PCA પ્લાન્ટ ઉભું કરે. 2 સપ્તાહ માં પ્લાન્ટ ઉભા થઇ શકે છે તેવી રજુઆત એડવોકેટ શાલીન મેહતા દ્વારા કરવામાં આવી હતી.

Published On - 1:35 pm, Tue, 27 April 21

Next Video