થોડા દિવસમાં ફરી ભાવ ફરી ન વધી જાય તેની ચિંતા! જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડામાં લોકોની પ્રતિક્રિયા

|

Nov 04, 2021 | 8:34 AM

કેન્દ્ર અને રાજ્ય સરકારે દિવાળી પહેલા સામાન્ય માણસોને થોડી રાહત આપી છે. પરંતુ આમ છતાં નાગરીકોમાં અસંતોષ અને ચિંતા જોવા મળી રહી છે.

મોદી સરકારે (Modi Government) લોકોને દિવાળી ભેટ (Diwali Gift) આપી છે. જેમાં એક્સાઈઝ ડયુટીમાં (Excise Duty) ઘટાડાની જાહેરાત કરાતા હવે પેટ્રોલ-ડીઝલના(Petrol Diesel) ભાવમાં ઘટાડો થયો છે. સરકારે આજે 04 નવેમ્બરથી એક્સાઇઝ ડયુટીમાં ઘટાડાની જાહેરાત કરી છે. સરકારે પેટ્રોલ પર પાંચ રૂપિયા અને ડીઝલ 10 રૂપિયા એકસાઇઝ ડયુટી ઘટાડવાની જાહેરાત કરી છે.

તો ગુજરાત સરકારે પણ પેટ્રોલ અને ડીઝલ પર 7-7 રૂપિયાની છૂટની જાહેરાત કરી છે. જેના કારણે હવે પેટ્રોલ ડીઝલનો આંકડો 100ની અંદર આવી ગયો છે. ત્યારે લોકોમાં આ નિર્ણયને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો ખુશ છે તો ઘણા લોકોનું કહેવું છે કે થોડા દિવસમાં ફરી હતું એવું ને એવું થઇ જશે. એટલે કે ભાવ થોડા દિવસમાં ફરી વધી જશે. તો આવો જાણીએ ગુજરાતના શહેરોમાં જીવન નીર્વિત કરતા સામાન્ય નાગરિકોનું આ બાબતે શું માનવું છે.

 

આ પણ વાંચો: T20 World Cup 2021: અંપાયરે કરી દીધી આ ભૂલ સજા મળી ગઇ વિશ્વકપ ટૂર્નામેન્ટથી બહાર થવાની, જાણો કેમ

આ પણ વાંચો: Maharashtra: સાંઇ ભકતો માટે ખુશ ખબર, આજે શિરડી સાંઇ મંદિરમાં ધામધૂમથી ઉજવાશે દીપોત્સવ, કોરોના નિયમોનું કરવું પડશે પાલન

Next Video