કોરોનાના કહેર વચ્ચે આવતા સોમવારથી ઉદ્યોગો શરૂ કરવાનું આયોજન છે. રાજ્ય સરકારે 3 વિભાગને ઉદ્યોગો શરૂ કરવાની જવાબદારી સોંપી છે. શ્રમ અને રોજગાર, ખાણ અને ખનીજ, GIDC તથા કુટીર ઉદ્યોગોને જવાબદારી આપી છે. શ્રમ અને રોજગારને વિભાગને શ્રમિકોના સર્વેની જવાબદારી સૌંપવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ સાથે જ શ્રમિકોની રહેવાની અને પરિવહનની વ્યવસ્થા હશે તેવા ઉદ્યોગોને જ મંજૂરી મળશે. ત્યારે શનિવાર સુધી તમામ વિભાગોને રિપોર્ટ સોંપવા માટેનું સુચન સરકારે કર્યુ છે. આવતા સોમવારે સરકાર ઉદ્યોગો મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો