કોરોનાનુ સંક્રમણ વધે નહી તે માટે સરકાર આ વર્ષે નવરાત્રી મહોત્સવની ઉજવણી ઉપર મનાઈ ફરમાવી શકે છે. કોરોનાનુ સંક્રમણ વધે નહી તે માટે રાજ્ય સરકાર જ્યા વધુ લોકો ભેગા થતા હોય તેવી ઉજવણી કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ સંજોગોમાં રાજ્યમાં નવરાત્રીની ઉજવણી ઉપર પણ પ્રતિબંધ મુકાવાની શક્યતા છે. જેના માટે આગામી બુધવારે મળનારી રાજ્યપ્રધાન મંડળની બેઠકમાં ચર્ચા થઈ શકે છે. જો કે કેટલાક આયોજકોએ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સહિતની સાવચેતી સાથે નવરાત્રી આયોજન કરવા અંગ શરતી મંજૂરી માંગી છે.