હોળીના તહેવારને લઈ રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. માર્ગદર્શિકા મૂજબ કોઇપણ રંગોત્સવના જાહેર કાર્યક્રમોને મંજૂરી મળશે નહીં. મર્યાદિત લોકોની હાજરીમાં જ હોળી પ્રગટાવી શકાશે અને હોળીની પ્રદક્ષિણામાં પણ મર્યાદિત લોકો હાજર રહી શકશે. હોલીકા દહન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવું પડશે, તેમજ આયોજકોએ લોકોને કોવિડની ગાઇડલાઇનું પાલન કરાવાનું રહેશે. જાહેર વિસ્તારમાં સામુહિક ઘૂળેટી મહોત્સવનું આયોજન કરી શકાશે નહીં.