આજે ગુજરાત ચૂંટણીના પરિણામમાં ભાજપને ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ છે ત્યારે કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને આ આ વિજયપરચમ લહેરાવનારા હિરો નરેન્દ્ર મોદી છે તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતની જનતાએ પ્રેમથી ભાજપને આવકાર આપ્યો છે અને 12 ડિસેમ્બરના રોજ ગુજરાતના મંત્રી મંડળની શપથ વિધી કરવામાં આવશે. આ શપથ વિધી વિધાનસભાની પાછળના હેલિપેડના ગ્રાઉન્ડમાં આયોજિત કરવામાં આવશે. આ શપથ વિધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેશે. તેમજ ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ પણ આ શપથ વિધીમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સૌનૌ સાથ અને સૌના વિકાસને સાથે લઇને ચાલનારા ભાજપ ઉપર ગુજરાતની જનતાએ ફરી એક વાર પસંદગી ઉતારી છે તેમજ ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારનો વિજય
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 1:28 pm, Thu, 8 December 22