GUJARAT : કેન્દ્રીય ચૂ્ંટણી પંચે પંચમહાલની મોરવાહડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેની તારીખો જાહેર કરી છે.ખાલી પડેલી વિધાનસભા બેઠક માટે 17મી એપ્રિલના રોજ મતદાન યોજાશે. જ્યારે 2જી મેના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે 30મી માર્ચ સુધી રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. જ્યારે 3જી એપ્રિલ સુધી ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે. મહત્વપૂર્ણ છે કે મોરવાહડફ બેઠક એસ.ટી કેટેગરી હેઠળ આવે છે. અને ભુપેન્દ્ર ખાંટનું નિધન થતા આ બેઠક ખાલી પડી હતી. ત્યારે 17 એપ્રિલે મોરવાહડફ બેઠક પર સત્તાનો સંગ્રામ જામશે.