Gujarat Corona Update સુરતમાં વકરી રહેલા કોરોનાના કેસને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એકદમ એલર્ટ થઈ ગયુ છે. સુરતમાં પરપ્રાંતમાંથી પ્રવેશનારે ફરજીયાત સાત દિવસ હોમ ક્વોરોન્ટાઈન રહેવાનો આદેશ સુરત મહાનગરપાલિકાએ જાહેર કર્યો છે. તો સુરતમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસીસમાં ઓફલાઈનને બદલે ઓનલાઈન શિક્ષણ આપવા માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આદેશ કર્યો છે. સુરતમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉપર કોરોના ટેસ્ટીગ કરવાની વ્યવસ્થા કરાઈ છે. સુરતમાં જે લોકો કોરોના પોઝીટીવ હોય તેમણે ફરજીયાત સાત દિવસ ક્વોરોન્ટાઈન રહેવુ પડશે. રેલ્વે સ્ટેશન, એસ ટી સ્ટેશન, હાઈવેના મુખ્ય માર્ગ સહીતના સુરતમાં પ્રવેશદ્વાર સમા વિસ્તાર અને સ્થળોએ બહારગામથી આવનારાઓના કોરોના ટેસ્ટીગ કરવામા આવશે. સુપર સ્પ્રેડર બની શકે તેવા સ્થળોને બંધ કરાવી દેવામાં આવ્યા છે. આજ રાત્રીથી કરફ્યુનો કડકાઈથી અમલ કરાશે.
Published On - 11:21 am, Wed, 17 March 21