GUJARAT CORONA UPDATE : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. 25 ફેબ્રુઆરીના દિવસે છેલ્લા 24 કલાકમાં CORONAના નવા 424 કેસ સામે આવ્યા છે, જયારે આ 24 કલાકમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે. આ મૃત્યુ અમદાવાદ શહેરમાં થયું છે.
આજે મહાનગરમાં નવા નોધાયેલા CORONA કેસોની વાત કરીએ તો વડોદરામાં સૌથી વધુ 89 કેસ, સુરતમાં 87 અને અમદાવાદમાં 75 નવા કેસો નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપીને 301 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 2,62,172 થઇ છે. રાજ્યમાં હાલ કોરોનાના 1191 એક્ટીવ કેસ છે.
Published On - 8:23 pm, Thu, 25 February 21