Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં 21 મે ના રોજ સતત બીજા દિવસે 5 હજારથી ઓછા કોરોનાના દૈનિક કેસો નોંધાયા છે, આ સાથે 8 હજારથી વધુ
દર્દીઓ સાજા થયા છે.
4251 નવા કેસ, 65 મૃત્યુ
રાજ્યમાં આજે 21 મે ના રોજ કોરોનાના નવા 4251 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 65 દર્દીઓના
મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 7,80,471 થઇ છે અને મૃત્યુઆંક 9,469 થયો છે.
આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો
અમદાવાદ : શહેરમાં 9, જિલ્લામાં 1 મૃત્યુ
સુરત : શહેરમાં 4, જિલ્લામાં 3 મૃત્યુ
વડોદરા : શહેરમાં 4, જિલ્લામાં 3 મૃત્યુ
રાજકોટ : શહેરમાં 3, જિલ્લામાં 3 મૃત્યુ
જામનગર : શહેરમાં 3, જિલ્લામાં 2 મૃત્યુ
જુનાગઢ : શહેરમાં 2, જિલ્લામાં 2 મૃત્યુ
ભાવનગર : શહેરમાં 1, જિલ્લામાં 1 મૃત્યુ
ગાંધીનગર : શહેરમાં 0, જિલ્લામાં 1 મૃત્યુ
અમદાવાદમાં 803 કેસ, વડોદરામાં 367 કેસ
રાજ્યમાં આજે 21 મે ના રોજ અમદાવાદમાં સૌથી વધુ અને ત્યારબાદ બીજા ક્રમે સુરતના બદલે વડોદરામાં કોરોનાના સૌથી વધુ
નવા કેસો નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 803, વડોદરામાં 367, સુરતમાં
269, રાજકોટમાં 175, ભાવનગરમાં 136, જામનગરમાં 123, અને જુનાગઢમાં 92 કોરોનાના નવા કેસ નોધાયા છે. આ
મહાનગરો ઉપરાંત વડોદરા જિલ્લામાં 172, સુરત જિલ્લામાં 171, પંચમહાલ જિલ્લામાં 120, આણંદ જિલ્લામાં 116 અને રાજકોટ
જિલ્લામાં 112 નવા કેસો નોંધાયા છે.(Gujarat Corona Update)
#GujaratCoronaUpdate#COVID19Dashboard
4251 New cases
8783 Discharged
65 Deaths reported
84421 Active Cases,692 on ventilator
1,17,524 Got Vaccine Today
45,113 people between 18-44 got first dose@MoHFW_INDIA @CMOGuj @Nitinbhai_Patel @JayantiRavi @JpShivahare @DDNewsGujarati pic.twitter.com/9sW0eFxYYk— GujHFWDept (@GujHFWDept) May 21, 2021
8783 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા
રાજ્યમાં 21 મે ના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 8783 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર
સુધીમાં કુલ 6,86,581 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 87.97 ટકા જેટલો થયો છે.
રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 84,421 થયા છે, જેમાં 692 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 83,729 દર્દીઓની સારવાર
ચાલી રહી છે.(Gujarat Corona Update)
આજે 1,17,524 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું
ગુજરાતમાં આજે 21 મે ના દિવસે 1,17,524 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. આજે થયેલા રસીકરણમાં
1) 8391 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 4116 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 30,110 લોકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 29,794 લોકોને બીજો ડોઝ,
5)18-45 વર્ષ સુધીના 45,113 લોકોના પ્રથમ ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)
આ પણ વાંચો : DRDO ની વધુ એક સિદ્ધી, કોરોનાની એન્ટીબોડી ટેસ્ટ કીટ DIPCOVAN વિકસિત કરી