ગુજરાત સરકાર ડુંગળી-બટાકાના ઘટતા ભાવને લઇને ખેડૂતોની વહારે આવી છે. ગુજરાત સરકાર ડુંગળી-બટાકાના ખેડૂતો માટે સહાયની જાહેરાત કરશે. આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં સહાય મુદ્દે મંજૂરી આપવામાં આવી છે. સાંજ સુધીમાં સહાય અંગેની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી શકે છે. આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
#Gujarat govt may announce assistance for potato, onion farmers : Source#Tv9News pic.twitter.com/y2717PKejf
— Tv9 Gujarati (@tv9gujarati) March 1, 2023
ત્યારે આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી. જેમાં બનાસકાંઠામાંથી બટાકા પકવતા ખેડૂતો માટે ધારાસભ્યએ રજૂઆત કરી હતી. બનાસકાંઠામાંથી બટાકાના ખેડૂતો અને ભાવનગરમાંથી ડુંગળી પકવનારા ખેડૂતો પરેશાન થઇ રહ્યા હોવાની વાત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર મુદ્દો AAP દ્વારા દિલ્હીમાં ઉછાળવામાં આવ્યો હતો. તેની પણ અસર ભાવનગરમાં જોવા મળી હતી. કિસાન સંઘ દ્વારા પણ આ અંગે કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે આ અંગે કોઇ સૈદ્ધાંતિક નિર્ણય આવી શકે છે.
કેબિનેટની બેઠકમાં ડુંગળી-બટાકાના ઘટતા ભાવને લઇને ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટની બેઠકમાં ડુંગળી-બટાકાના ઘટતા ભાવને લઇને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ડુંગળી-બટાકા પકવતા ખેડૂતોને સહાય આપવા માટેની સૈદ્ધાંતિક મંજુરી આપી દેવામાં આવી છે. ત્યારે નિર્ણય અંગે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. આ નિર્ણયથી બનાસકાંઠા અને ભાવનગરના ખેડૂતોને મોટી રાહત મળે તેવી શક્યતા છે.
મહત્વનું છે કે ભાવનગરમાં ડુંગળીના સતત ગગડી રહેલા ભાવને કારણે જગતના તાતની આર્થિક હાલત વધુ કફોડી થઇ છે. ત્યારે 26 ફેબ્રુઆરીએ ભાવનગરની મુલાકાતે આવેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સમક્ષ ખેડૂતોએ તેમની વ્યથા રજૂ કરી હતી. ખેડૂતોએ ભગવંત માનને જણાવ્યું હતુ કે ડુંગળીના પૂરતા ભાવ ન મળવાને કારણે ખેડૂતો પાકનો નાશ કરવા મજબૂર બન્યા છે.
ખેડૂતોની રજૂઆતની સામે ભગવંત માને ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદીની તૈયારી બતાવી હતી. ભગવંત માને ખેડૂતોને આગામી 2 સપ્તાહ સુધી ડુંગળીના પાકનો નાશ ન કરવા જણાવ્યું હતુ. ભગવંત માને કહ્યું કે તેઓ તેમના અધિકારીઓ સાથે વાતચીત કરશે. આગામી 10 દિવસમાં પંજાબ અને દિલ્લી સરકાર ડુંગળીની ખરીદી કરશે તેવું આશ્વાસન પણ ભગવંત માને ખેડૂતોને આપ્યું હતુ.
Published On - 3:06 pm, Wed, 1 March 23