Gujarat: ભાજપે પીએમ મોદીનો ‘ન્યૂ ઈન્ડિયા’ સંદેશ લગભગ ત્રણ લાખ યુવાનો સુધી પહોંચાડવાની કરી તૈયારી, કાર્યકરો 20 દિવસમાં 80 વિધાનસભા બેઠકોને આવરી લેશે

|

Apr 07, 2022 | 9:05 AM

ભાજપ યુવા મોરચા (BJP Yuva Morcha ) ના કાર્યકર્તાઓ સ્વાતંત્ર્ય સેનાનીઓ, આઝાદી પછી દેશ માટે બલિદાન આપનારા સૈનિકો અને કોવિડ-19 સામે લડતા મૃત્યુ પામેલા કોરોના યોદ્ધાઓના ઘરની મુલાકાત લેશે. આ લોકોના ઘરની મુલાકાત દરમિયાન, કામદારો તાંબાના કલરમાં આંગણામાંથી માટી એકત્રિત કરશે.

Gujarat: ભાજપે પીએમ મોદીનો ન્યૂ ઈન્ડિયા સંદેશ લગભગ ત્રણ લાખ યુવાનો સુધી પહોંચાડવાની કરી તૈયારી, કાર્યકરો 20 દિવસમાં 80 વિધાનસભા બેઠકોને આવરી લેશે
cm bhupendra patel (File photo)

Follow us on

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવાની છે. આવી સ્થિતિમાં, ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારો સુધી પહોંચવા માટે, ભારતીય જનતા પાર્ટી (BJP) એ બુધવારે અમદાવાદ (Ahmedabad) માં બાઇક રેલી શરૂ કરી હતી જે રાજ્યની 182 બેઠકોમાંથી 90 બેઠકોને આવરી લેશે. આ બાઇક રેલી (Bike Rally) ને અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) અને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ 20 દિવસ ચાલનારી બાઇક રેલી 25 એપ્રિલે સુરતમાં સમાપ્ત થશે. આ દરમિયાન ગુજરાતભરની 80 વિધાનસભા બેઠકો પરથી ભાજપના કાર્યકરો પસાર થશે.

ગુજરાતમાં ભાજપને આગળ લઈ જવા માટે યુવાનોની મહત્વની ભૂમિકા ભજવવા બદલ પ્રસંશા કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, પક્ષના વિચારક અને પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીના ખીલતા કમળની ભવિષ્યવાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાકાર થઈ રહી છે. બીજી તરફ તેજસ્વી સૂર્યાએ કાળઝાળ ગરમી બાદ પણ રેલીમાં ભાગ લેનાર પાર્ટીના યુવા કાર્યકરોના ઉત્સાહની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે યુવા મોરચાના યોગદાનને કારણે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ અભૂતપૂર્વ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. સૂર્યાએ યુવા મોરચાના કાર્યકરોને કહ્યું કે, ભારતમાં કોઈપણ યુવા રાજકીય કાર્યકર માટે મોદી સૌથી મોટા રોલ મોડેલ છે.

ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બનશે

બીજેવાયએમના પ્રમુખ તેજસ્વી સૂર્યાએ દાવો કર્યો હતો કે છેલ્લા 27 વર્ષમાં યુવાનોના સમર્થન અને વિકાસ કાર્યોના બળ પર પાર્ટી ગુજરાતમાં ફરી એકવાર વિજય નોંધાવશે. બીજેપીના 42મા સ્થાપના દિવસ નિમિત્તે રેલીની શરૂઆત પહેલા, સૂર્યાએ કહ્યું કે ‘આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા’ રેલીમાં ભાગ લેનારાઓ આગામી 20 દિવસમાં 1,000 સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોને મળશે અને તેમની પાસેથી માટી એકત્રિત કરશે.

Most Beautiful Girls : ભારતમાં અહીં છે સૌથી સુંદર છોકરીઓ
સેકન્ડ હેન્ડ કપડાં પહેરે છે આ સુપરસ્ટારનો દીકરો, જુઓ ફોટો
ઉનાળામાં દરરોજ સવારે ગુલકંદ ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે?
Vastu Tips: આ જગ્યા પર ચોખા પર કપૂર નાખીને પ્રગટાવો, લક્ષ્મીજી થશે પ્રસન્ન
ઉનાળામાં નસકોરી ફુટે તો શું કરવું?
આજનું રાશિફળ તારીખ 09-04-2025

નરેન્દ્ર મોદીના ‘નવા ભારત’ના સંદેશને ત્રણ લાખ યુવાનો સુધી પહોંચાડશે

પાર્ટી અનુસાર, યુવા પાંખના કાર્યકર્તાઓ સ્વાતંત્ર્ય સેનાનીઓ, આઝાદી પછી દેશ માટે બલિદાન આપનારા સૈનિકો અને કોવિડ-19 સામે લડતા મૃત્યુ પામેલા કોરોના યોદ્ધાઓના ઘરની મુલાકાત લેશે. આ લોકોના ઘરની મુલાકાત દરમિયાન કામદારો આંગણામાંથી તાંબાના કળશમાં માટી એકત્રિત કરશે. આપને જણાવી દઈએ કે આ રેલીનો ઉદ્દેશ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘નવા ભારત’ના સંદેશને ત્રણ લાખ યુવાનો સુધી પહોંચાડવાનો છે.

આ પણ વાંચોઃ Ahmedabad: રેલવેની પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો પરત ખેંચાયો, હવે 10 રૂપિયા જ વસુલાશે

આ પણ વાંચોઃ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગરમીના પ્રકોપથી મળશે રાહત, હવામાન વિભાગે કરી આગાહી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article