દુકાન ખોલનાર મેનેજીંગ કમિટીના ભારત જમબુચાએ જણાવ્યું કે, ભારતમાં ખેતી મુખ્ય વ્યવસાય હોવા છતાં ખેડૂતોને તેમના ઉત્પાદનની કિંમતોને નકકી કરવામાં મદદ નથી મળતી. લોકો ઝડપથી શહેરીકરણની તરફ આગળ વધવાની સાથે અન્ય વ્યવસાયોની તરફ જવા લાગ્યા છે. દેશમાં રોજ કોઈના કોઈ ખેડૂત આત્મહત્યા કરી રહ્યાં છે. ભરત જમબુચાએ વધુમાં જણાવ્યું હતું કે ઘણાં વર્ષોથી અમે કમિશન એજન્ટો ચેન તોડવાનું અને ગ્રાહકો સુધી પહોંચવાનું કામ કરીયે છીએ. લોકોને સારી ગુણવતા, કેમિકલરહિત અને શુધ્ધ ખેતીની પેદાશો મળે તે માટે હવે અમે એક દુકાન બનાવી રહ્યાં છીએ.
50 ખેડૂતોનું એક જૂથ જૈવિક ખેતી કરી રહ્યું છે. તે ભાવનગરમાં ગ્રાહકોને તેમના ઉત્પાદન જેવા કે શાકભાજી, ફળો, અનાજ, વગેરે વેચી રહ્યાં છે. જયાં તે પોતાનો ધંધો કરી શકે છે. અમે ભાવનગરમાં અમારા વિશેની જાગરૂકતા ફેલાવવા માટે અભિયાન ચલાવ્યું જેથી લોકો ખેત ઉત્પાદકની તેમની જરૂરીયાતને લઈને અમારી પાસે આવે. અમારી પાસે 40થી50 નિયમિત ગ્રાહકો જે સપ્તાહમાં બે વાર શાકભાજી અને અન્ય સામાન ખરીદે છે. તેથી જ લોકોના વિશ્વાસથી અમે દૂકાનમાં રોકાણ કર્યું છે.
[yop_poll id=”995″]