પાણી મુદ્દે રાજ્ય માટે સારા સમાચાર, નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો

પાણી મુદ્દે રાજ્ય માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પીવા અને સિંચાઈ માટે એક વર્ષ સુધી ચાલે તેટલું પાણી હાજર છે. અત્યારે ડેમની જળસપાટીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. 2 દિવસમાં પાણીની સપાટીમાં 3 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે જ મે મહિનામાં ડેમની જળસપાટી 119.47 મીટર સુધી […]

પાણી મુદ્દે રાજ્ય માટે સારા સમાચાર, નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો
| Updated on: May 21, 2019 | 6:23 AM

પાણી મુદ્દે રાજ્ય માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પીવા અને સિંચાઈ માટે એક વર્ષ સુધી ચાલે તેટલું પાણી હાજર છે. અત્યારે ડેમની જળસપાટીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. 2 દિવસમાં પાણીની સપાટીમાં 3 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે જ મે મહિનામાં ડેમની જળસપાટી 119.47 મીટર સુધી પહોંચી છે. મે મહિનામાં ડેમની જળસપાટી 119.47 મીટર હોય તેવું ઈતિહાસમાં પ્રથમવાર બન્યું છે.

આ પણ વાંચો: એગ્ઝિટ પોલના પરિણામ જોઈને પાકિસ્તાનમાં મચી ગઈ ધમાલ, પાકિસ્તાનીઓએ રાહુલ કરતા મોદીને કર્યું 6 ગણું વધારે સર્ચ. 

ડેમમાં ઉપરવાસમાંથી હાલ 4000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની મહત્તમ સપાટી 121.92 મીટર છે અને હાલમાં ડેમની સપાટી 119.47 મીટર પર પહોંચી ગઈ છે. અત્યારે ડેમમાં 1100 mcm પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે રાજ્યભરની પાણીની જરૂરીયાતો પૂર્ણ કરી શકે તેટલુ છે.

TV9 Gujarati

 

Follow Us