
વડોદરાના ડભોઈ અને ચાંદોદવાસીઓ માટે ખુશખબર છે. ડભોઈ-ચાંદોદ વચ્ચે રેલવે ગેજ પરિવર્તનનું કામ પૂર્ણતાના આરે છે. નવી રેલવે લાઈન પર પ્રથમવાર 6 કિલોમીટર સુધી એન્જિન ચલાવીને ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. હાલમાં કેવડિયા કોલોની સુધી નવી લાઇન નાખવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જે અંતર્ગત ડભોઈથી ચાંદોદ સુધીની 20 કિલોમીટરની લાઈન પૂર્ણ કરાઈ છે. જેને પગલે ડભોઈથી ગામડી અને વડજ સુધી એન્જિન ફેરવીને ટેસ્ટિંગ કરાયું છે. રેલવે ગેજ પરિવર્તનનું એન્જિન દ્વારા ચાંદોદ સુધી ટેસ્ટિંગ કરીને રેલવે તંત્રને રિપોર્ટ કરવામાં આવશે. ટ્રેન સુવિધા ચાલુ થયા બાદ યાત્રિકો તીર્થક્ષેત્ર ચાંદોદ અને કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ટ્રેન મારફતે લઈ શકશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 10:29 am, Wed, 5 August 20