કયા કારણોથી સોનાના ભાવ 55000 થયા ? જુઓ આ અહેવાલ

|

Jul 31, 2020 | 9:33 AM

સોનામાં આગજરતી તેજીના કારણે ભાવ આસમાને પહોચ્યા છે. અમદાવાદના જવેલર્સ માર્કેટમાં એક તોલા સોનાના ભાવ વધીને 55 હજારે પહોચ્યા છે. ત્યારે આ ભાવ વધારા માટેના કારણો અનેક હોવાનુ વેપારીઓ કહી રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં 35 ટકાનો વધારો થયો છે. ખાસ કરીને કોરોનાકાળને લીધે વિદેશથી સોનાની આયાત ઓછી થઈ રહી હોવાનું માનવામાં આવી […]

કયા કારણોથી સોનાના ભાવ 55000 થયા ? જુઓ આ અહેવાલ

Follow us on

સોનામાં આગજરતી તેજીના કારણે ભાવ આસમાને પહોચ્યા છે. અમદાવાદના જવેલર્સ માર્કેટમાં એક તોલા સોનાના ભાવ વધીને 55 હજારે પહોચ્યા છે. ત્યારે આ ભાવ વધારા માટેના કારણો અનેક હોવાનુ વેપારીઓ કહી રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં 35 ટકાનો વધારો થયો છે. ખાસ કરીને કોરોનાકાળને લીધે વિદેશથી સોનાની આયાત ઓછી થઈ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત માર્ચ મહિનામાં સોનાના ભાવ 40 હજાર હતા તે લોકડાઉન અને કોરોનાકાળમાં વધીને 55 હજારે પહોચી ગયા છે. જેના કારણે લોકો સોનામા સુરક્ષિત રોકાણ સમજીને મોટાપ્રમાણમાં મૂડીરોકાણ કરી રહ્યાં છે. સોનાના ભાવમાં 35 ટકાનો વધારો થયો છે. પરંતુ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના અહેવાલ મુજબ 26 વર્ષના સમયગાળામાં સૌથી ઓછો વપરાશ આ વર્ષે થયો છે. 2020ના પ્રથમ છ મહિનામાં સોનાનો વપરાશ 56 ટકા ઘટયો હોવાનું વેપારીઓ કહી રહ્યાં છે. ગયા વર્ષે 800થી 900 ટન સુધીની આયાત થઈ હતી. જેની સામે આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિનામાં માત્ર 75 ટન સોનાની આયાત થવા પામી છે.

Next Article