Gir Somnath : સોમનાથમાં અધિક શ્રાવણ માસનો ભક્તિમય આયોજન સાથે પ્રારંભ

|

Jul 18, 2023 | 7:15 AM

18 જૂલાઈ એટલે કે આજથી અધિક શ્રાવણ માસનો ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ થયો છે. અધિક શ્રાવણ એટલે કે પુરષોત્તમ માસનો ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ તીર્થમાં ભક્તિમય પ્રારંભ કરવા માટે સોમનાથ ટ્રસ્ટે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

Gir Somnath : સોમનાથમાં અધિક શ્રાવણ માસનો ભક્તિમય આયોજન સાથે પ્રારંભ
Somnath

Follow us on

Gir Somnath : સોમનાથ (Somnath ) પ્રભાસ તીર્થની ભૂમિ કે જે દેવાધિદેવ મહાદેવ અને ભગવાન શ્રીકૃષ્ણની ચરણરજથી પવિત્ર બની છે. જ્યાં વિષ્ણુ ભગવાનના અવતાર પ્રભુ શ્રીરામ અને ભગવાન પરશુરામ પધાર્યા હતા. જેથી જ આ ભૂમિને હરી એટલે કે ભગવાન વિષ્ણુ અને હર એટલે કે ભગવાન શિવનું સંગમ સ્થાન હરિહર તીર્થ કેહવામાં આવે છે.

આ પણ વાંચો Gir Somnath: અધિક શ્રાવણ અને શ્રાવણમાં ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટે શરૂ કરી “21₹ બિલ્વપૂજા સેવા

18 જૂલાઈ એટલે કે આજથી અધિક શ્રાવણ માસનો ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ થયો છે. અધિક શ્રાવણ એટલે કે પુરષોત્તમ માસનો ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ તીર્થમાં ભક્તિમય પ્રારંભ કરવા માટે સોમનાથ ટ્રસ્ટે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

 

Somnath

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોલોકધામ તીર્થ ખાતે ગીતાજી પૂજન સાથે પુરુષોત્તમ માસનો પ્રારંભ

સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજે સવારે ગીતા મંદિર ખાતે ગીતાજીનું પૂજન કરવામાં આવશે. ત્યારબાદ સોમનાથ સંસ્કૃત યુનવર્સિટી તેમજ સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ગીતાજીનું પઠન કરવામાં આવશે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીતામંદિર ખાતે ધ્વજા પૂજન કરી નૂતન ધ્વજા રોપણ કરવામાં આવશે.

Somnath

ગીતાજીના પાઠ, શ્રીમદ્ ભાગવત દશમસ્કંધના પાઠ સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમ

ઉલ્લેખનીય છે કે સમગ્ર અધિક માસ દરમિયાન સવારે 8:00 વાગ્યે ઋષિ કુમારો દ્વારા ગીતાજીના પાઠ અને સંધ્યા સમયે 5:30 થી 7:00 સુધી ભાવિકોને શ્રીમદ્ ભાગવત દશમસ્કંધના પાઠ સાંભળવાનો લાભ મળશે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા અધિક માસ દરમિયાન ગોલોકધામ તીર્થમાં આવનાર ભાવિકોના પ્રવાહને ધ્યાને લઇને પરિસરમાં ગ્રીનકાર્પેટ, સિટિંગ બેન્ચ સહિતની સુલભ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

(With Input : Yogesh Joshi, Gir Somnath)

ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:08 am, Tue, 18 July 23

Next Article