કોરોના મહામારીને કારણે ગણેશ વિસર્જન માટે બહાર પાડેલી ગાઈડલાઈન અને અપીલને ઘોળીને પી જનાર સુરતના ગણેશ યુવક મંડળ માટે મુશ્કેલીના દિવસો શરૂ થઈ રહ્યાં છે. આ ગણેશ યુવક મંડળે નીતિ નિયમોને ચાતરીને દરિયામાં ગણેશ વિસર્જન કર્યું, વિસર્જન કર્યુ એ તો બરાબર, પાછા દરિયામાં કરેલા ગણેશ વિસર્જનના ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા, જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા.
ઓવારા વિસર્જન પર ગણેશ પ્રતિબંધ મુકવા પાછળનું કારણ એ હતું કે ગણેશોત્સવમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવાથી કોરોનાનું સંક્રમણ વધવાની ભીતિ હતી. આ જ કારણથી વિસર્જનના દિવસે પણ ઘર આંગણે જ પ્રતિમાનું વિસર્જન કરવા અપીલ કરી હતી..તેમ છતાં સહારા દરવાજાના યુવક મંડળે ગણેશ પ્રતિમાનું ઘર આંગણે વિસર્જન કરવાને બદલે પોલીસ કાર્યવાહીથી બચવા માટે વહેલી સવારે પાંચ વાગ્યે પ્રતિમાને ડુમસ લઈ ગયા હતા.
ડુમસ પહોંચ્યા બાદ યુવક મંડળના સભ્યોએ હરીશ પગારે, ચિરાગ સાલવી, વિકી સોનાર સહિત 10 સભ્યોએ બોટ ભાડે કરીને ડુમસ દરિયાના વચ્ચોવચ્ચ પહોંચ્યા હતાં અને શ્રીજીની આરતી ઉતારી ધાર્મિક વિધિ અનુસાર પ્રતિમાનું વિસર્જન કર્યું હતું.
ગણેશ વિસર્જનના ફોટા સોશિયલ મીડિયામાં મૂકીને મુશ્કેલી સર્જી છે. રાજકીય પક્ષ સાથે આ યુવકો સક્રિય રીતે જોડાયેલા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં ગણેશ યુવક મંડળના તમામ સભ્યો કે જેઓ દરિયામાં ગણેશ વિસર્જન કરવા ગયા હતા તેમની સામે સોશિયલ મીડિયામાં વહેતા થયેલા ફોટાના આધારે કોઈ કાર્યવાહી થાય છે કે નહી તે જોવુ રહ્યું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 9:45 am, Thu, 3 September 20