રખડતા ઢોર નિયંત્રણ કાયદો મોકૂફ, પશુપાલક અને માલધારી સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે બેઠક બાદ લેવાયો નિર્ણય

|

Apr 07, 2022 | 12:52 PM

રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં મંજૂર કરવામાં આવેલા રખડતા ઢોર (stray cattle) અંગેના વિધેયકને લીધે માલધારી સમાજમાં નારાજગી પ્રવર્તી છે. જ્યારેથી આ વિધેયક પસાર થયો છે ત્યારેથી તેઓ વિરોધ કરી રહ્યા છે. આ નારાજગી ખાળવા માટે સરકારે આ કાયદાના અમલમાં પાછી પાની કરી છે.

રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં મંજૂર કરવામાં આવેલો રખડતા ઢોર (stray cattle) અંગેનો કાયદાને મોકૂફ રાખી દેવામાં આવ્યો છે. આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને માલધારી સમાજના આગેવાનો સાથે મુખ્મંત્રીએ બેઠક કરી હતી. આ બેઠક બાદ આ કાયદો મોકુફ રાખવાને નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં મંજૂર કરવામાં આવેલા રખડતા ઢોર અંગેના વિધેયકને લીધે માલધારી સમાજમાં નારાજગી પ્રવર્તી છે. જ્યારેથી આ વિધેયક પસાર થયો છે ત્યારેથી તેઓ વિરોધ કરી રહ્યા છે. રખડતા પશુ નિયંત્રણ કાયદાને (Stray Animal Control Laws) લઈ માલધારી સમાજના (Maldhari community) ઉગ્ર વિરોધ બાદ હવે રાજ્ય સરકારે નમતું જોખ્યું છે.

આ વિધેયક મોકુફ રાખવા અંગે રાજ્યમાં ઠેર-ઠેર માલધારી સમાજના આગેવાનોએ આવેદનપત્રો આપ્યા છે. ત્યારે માલધારી સમાજ દ્વારા ગાંધીનગરમાં આશ્ચર્યજનક અને જલદ કાર્યક્રમની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મહત્વનું છે કે જાહેરમાં રખડતા ઢોરના ત્રાસને લીધે સરકાર તરફથી નવો કાયદા અમલી બનવા જઈ રહ્યો છે. આ કાયદાની કેટલીક જોગવાઈઓનો માલધારી સમાજ વિરોધ કરી રહ્યો છે. જેના પગલે મુખ્યમંત્રી સાથે બેઠક શરૂ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે કેટલાક માલધારી સમાજના આગેવાનોએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ (C R Patil) ને મળીને આ બાબતે રજૂઆત કરી હતી. માલધારી સમાજની માગને વ્યાજબી ગણાવતા પાટીલે કહ્યું હતું કે હાલ આ કાયદો મહાનગરપાલિકા પૂરતો છે. આ સાથે માલધારી સમાજને બાહેંધરી આપતા કહ્યું કે, તેમણે મુખ્યપ્રધાનને વિધેયકમાં ફેર વિચારણા કરવા અંગે રજૂઆત કરી છે.

આ પણ વાંચોઃ પોરબંદર જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને વિચિત્ર જવાબદારી સોંપવામાં આવતાં રોષ, માધવપુરના મેળામાં ભીડ એકઠી કરવા સુચના અપાઈ

આ પણ વાંચોઃ  Surat: પોલીસનું સજેશન બોક્સ કામ લાગ્યું, સિનિયર સિટિઝને બોક્સમાં લેટર મૂકતાં પોલીસે આરોપી કોન્સ્ટેબલને ઝડપી લીધો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video