GUJARAT : કોરોના વાયરસ અંગે નવી Guideline જાહેર, 17 જેટલા નિયંત્રણો લાગુ

|

Jan 07, 2022 | 8:05 PM

Corona Guideline in Gujarat : આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM BHUPENDRA PATEL)ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નવી ગાઈડલાઈનને મંજૂરી આપવામાં આવી છે.

GUJARAT : કોરોના વાયરસ અંગે નવી Guideline જાહેર, 17 જેટલા નિયંત્રણો લાગુ
New guideline on corona virus released in Gujarat

Follow us on

GUJARAT : ગુજરાતમાં કોરોના વાયરસ (Corona Virus)ના કેસ વધતા સંભવિત ત્રીજી લહેરને પહોચી વળવા સરકાર હવે શક્ય એ તમામ પગલાઓ ભરી રહી છે. કોરોના વાયરસના કેસો વધતા સંક્રમણ વધુ ન ફેલાય એ માટે સરકારે વાઇબ્રન્ટ સમિટ સહીતના મોટા કાર્યક્રમો રદ્દ કર્યા છે, હવે આ દિશામાં રાજ્યમાં નવી કોરોના ગાઈડલાઈન (Guideline) જાહેર કરવામાં આવી છે. આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM BHUPENDRA PATEL)ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નવી ગાઈડલાઈનને મંજૂરી આપવામાં આવી છે.

17 જેટલા નિયંત્રણો લાગુ

શહેરોમાં આ નિયંત્રણો લાગુ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

1) રાત્રિ કર્ફ્યું : રાજયના અમદાવાદ શહેર , વડોદરા શહેર , સુરત શહેર , રાજકોટ શહેર , ભાવનગર શહેર , જામનગર શહેર , જુનાગઢ શહેર , ગાંધીનગર શહેર , ઉપરાંત વધુ બે નગરો આણંદ શહેર , અને નડીયાદમાં દરરોજ રાત્રિના 10 કલાકથી સવારના 6 કલાક સુધી રાત્રિ કર્યુ અમલમાં રહેશે.

2) વ્યપારની પ્રવૃત્તિઓ : ઉપરોકત શહેરોમાં સામે દર્શાવેલ વ્યાપારિક ગતિવિધિ રાત્રિના 10 કલાક સુધી ચાલુ રાખી શકાશે.

3) હોટેલ અને રેસ્ટોરન્ટ : બેઠક ક્ષમતાના 75 % સાથે રાત્રિના 10  કલાક સુધી ચાલુ રાખી શકાશે. હોટેલ / રેસ્ટોરેન્ટ્સમાં Home delivery સેવાઓ રાત્રિના 11 કલાક સુધી ચાલુ રાખી શકાશે.

 

સમગ્ર રાજ્યમાં આ નિયંત્રણો લાગુ

1) રાજકીય-સામાજિક મેળાવડા : ખુલ્લામાં મહત્તમ 400 વ્યકિતઓ પરંતુ , બંધ સ્થળોએ , જગ્યાની ક્ષમતાના 50% ( મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં ) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.

2)લગ્ન પ્રસંગ : ખુલ્લામાં મહત્તમ 400 વ્યકિતઓ પરંતુ , બંધ સ્થળોએ , જગ્યાની ક્ષમતાના % ( મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં ) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે . લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે.

3) અંતિમક્રિયા અને દફનવિધિ : મહત્તમ 100 ( એકસો ) વ્યક્તિઓની મંજુરી

4) પબ્લિક અને પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ : નોન એ.સી. બસ સેવાઓ ૭૫ % ક્ષમતા સાથે ( Standing not allowed ) જ્યારે એ.સી. બસ સેવાઓ મહત્તમ 75% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે.

5) સિનેમા હોલ : બેઠક ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે.

6) જીમ : સમાવેશ ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે.

7) વોટરપાર્ક અને સ્વીમીંગ પુલ : ક્ષમતાના મહત્તમ 50% સાથે ચાલુ રાખી શકાશે.

8) વાંચનાલયો : બેઠક ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે.

9) ઓડીટોરીયમ, હોલ, મનોરંજક સ્થળો : બેઠક ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે.

10) જાહેર બાગ-બગીચા : રાત્રિના 10 કલાક સુધી

11) ધોરણ 9 થી ગ્રેજ્યુએટ સુધીની અભ્યાસ પ્રવૃત્તિઓ : સ્થળની ક્ષમતાના મહત્તમ 50% વિદ્યાર્થીઓ સાથે

12) શૈક્ષણિક સંસ્થાઓ : રાજયભરની શાળાઓમાં ધોરણ 1 થી 9 માં વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન શિક્ષણ તા.31-1-2022  સુધી બંધ રહેશે.માત્ર ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રહેશે.

13) શાળા અને કોલેજો અને પરીક્ષાઓ : કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે.

14 ) સ્પોર્ટ્સ કોમ્લ્પેક્ષ, સ્ટેડીયમ અને સંકુલમાં રમત ગમત : પ્રેક્ષકોની હાજરી વગર ચાલું રાખી શકાશે.

 

 વેક્સિનના બે ડોઝ ફરજિયાત : ઉપરની તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ, તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ લોકો માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત કરવામાં આવ્યાં છે.

 

Published On - 7:07 pm, Fri, 7 January 22

Next Article