GANDHINAGAR : પાટનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani)ની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક (Gujarat cabinet meeting) મળશે. આ કેબીનેટ બેઠકમાં અંકે મહત્વના વિષયો પર ચર્ચા થઇ શકે છે. શાળાઓમાં ધોરણ 9 થી 11ના વર્ગ શરૂ કરવા, કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ, સંતરામપુરમાં બનેલી ઘટના અંગે થયેલી કાર્યવાહી અને કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચતા થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા થશે. આજે મળનારી કેબીનેટ બેઠકમાં શિક્ષણનો મુદ્દો મહત્વનો બની રહેશે. ગત સપ્તાહે નિયમોની સાથે ધોરણ-12ના ઓફલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે ધોરણ-9 થી 11ના વરધો શરૂ કરવા અંગે પણ વિચારણા થઇ શકે છે.