Gandhinagar: વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી( Rajendra Trivedi)ની તબિયત બગડતા તેમને ગાંધીનગર સિવિલથી યુ.એન. મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમને હૃદયમાં તકલીફ થતા યુ એન મહેતા હોસ્પિટલ લઇ જવાયા હતા.
માઈલ્ડ એટેક હોવાનું પારિવારિક સૂત્રો પાસેથી માહિતિ મળી રહી છે અને બે સર્જન દ્વારા એંજીયોપ્લાસ્ટી કરવામાં આવી છે.
હાલ યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત પણ સ્થિર બતાવવામાં આવી રહી છે.