હાલ ગાંધીનગરમાં (gandhinagar) વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. વિદ્યાસભા સત્રમાં અનેક સવાલના જવાબ મળી રહ્યા છે. એક બાજુ સરકાર દ્વારા મફત શિક્ષણ વિષે વાત કહી રહી છે. તો છેલ્લા બે વર્ષમાં સરકારી પ્રાથમિક 286 શાળાઓ બંધ કરવામાં આવી હોવાની વિગત પણ જાહેર કરી છે.
વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી શાળા બંધ કરવામાં આવી છે. સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવાથી 559 શિક્ષકો ફાજલ પડ્યાં છે. કોંગ્રેસ ધારાસભ્યના અનિલ જોષીયરાના લેખિત પ્રશ્ન અંગે સરકારે જવાબ આપ્યો છે.