Gandhinagar: જીપીએસસી અને જીટીયુ બાદ હવે ગુજરાત શિક્ષણ બોર્ડ પણ ઑનલાઈન ઉત્તરવહી ચકાસશે. શિક્ષણ વિભાગે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીની હવે ઑનલાઈન ચકાસણી કરવાનો નિર્ણય કર્યો. શિક્ષણ બોર્ડ પાછલા 4 વર્ષથી ઑનલાઈન ચકાસણી માટેની સિસ્ટમ તૈયાર કરી રહ્યું હતું. ઑનલાઈન પેપર ચકાસણીને પગલે ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટશે. અને પરિણામમાં પારદર્શિતા વધશે.