GANDHINAGAR : CM રૂપાણીએ જેલની અવનવી વાતો અંગેનું પુસ્તક “જેલ-ઈતિહાસ અને વર્તમાન”નું લોકાર્પણ કર્યું

|

Aug 31, 2021 | 3:41 PM

જેલ-ઈતિહાસ અને વર્તમાન : મુખ્યપ્રધાને કહ્યું કે આ પુસ્તક જેલોના મોટા અને રોચક ઇતિહાસ સાથે જેલો એ ગૂનેગારોને સુધારણા માટેનું બહુવિધ પ્રવૃત્તિ કેન્દ્ર બની છે તે વાત લોકોમાં સારી રીતે ઊજાગર કરશે.

GANDHINAGAR : CM રૂપાણીએ જેલની અવનવી વાતો અંગેનું પુસ્તક જેલ-ઈતિહાસ અને વર્તમાનનું લોકાર્પણ કર્યું
Gandhinagar : Chief Minister Vijay Rupani unveiled the book "Prison-History and Present"

Follow us on

GANDHINAGAR : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની જેલોના ઇતિહાસ અને વર્તમાનની રોમાંચક અને દુર્લભ ગાથા તેમજ કેદી સુધારણા પ્રવૃત્તિઓના આલેખન કરતા પુસ્તક “જેલ-ઈતિહાસ અને વર્તમાન”નું ગાંધીનગરમાં ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં વિમોચન કર્યુ હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ પુસ્તકનું વિમોચન કરતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે જેલ અંગે જે સામાન્ય માન્યતા અને ધારણાઓ લોકોમાં છે તેની સામે આ પુસ્તક જેલોના મોટા અને રોચક ઇતિહાસ સાથે જેલો એ ગૂનેગારોને સુધારણા માટેનું બહુવિધ પ્રવૃત્તિ કેન્દ્ર બની છે તે વાત લોકોમાં સારી રીતે ઊજાગર કરશે.

જેલોના ADG ડૉ. કે. એલ. એન રાવે લખ્યું છે આ પુસ્તક
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની જેલના ઇતિહાસ અને વર્તમાનની ગાથા-કેદી સુધારણા પ્રવૃત્તિઓ આલેખતા પુસ્તક “જેલ-ઈતિહાસ અને વર્તમાન” નું વિમોચન કર્યુ. આ પુસ્તક જેલોના વડા અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન. રાવે લખ્યું છે. મુખ્યપ્રધાને કહ્યું કે ડૉ. કે. એલ. એન. રાવ ના પુસ્તક ‘જેલ ઇતિહાસ અને વર્તમાન’ થી જેલના ઇતિહાસની આઝાદી જંગના વીરોના જેલવાસની રોમાંચક વાતો-રસપ્રદ તવારિખ લોકો સુધી પહોચશે.

આ સાથે જ મુખ્યપ્રધાને કહ્યું કે રાજ્યની જેલો ગૂનેગારોને સુધારવા માટેની પ્રવૃત્તિ કેન્દ્રો બની છે ત્યારે સંશોધન કારો માટે અને જેલોનું વાતાવરણ-જેલર અને જેલ સ્ટાફની કામગીરીને વધુ સમાજોઉપયોગી બનાવવામાં આવાં પુસ્તકો ભવિષ્યમાં માર્ગદર્શક બનશે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

શ્રીકૃષ્ણનો જેલમાં જન્મ, સાવરકરના જેલવાસનો ઉલ્લેખ કર્યો
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, ભગવાન કૃષ્ણનો જન્મ પણ જેલમાં થયો હતો. એટલું જ નહિ, આઝાદી કાળ દરમ્યાન અનેક નેતાઓએ જેલવાસના સમયનો સદુપયોગ કરીને આઝાદી સંગ્રામ માટે કેપેસિટી બિલ્ડીંગ કર્યુ હતું. મુખ્યપ્રધાને વીર સાવરકરે આંદામાન નિકોબારની સેલ્યુલર જેલમાં કારાવાસ દરમ્યાન રાષ્ટ્રપ્રેમ સભર કવિતાઓની રચના કરી જન-જનમાં આઝાદીની લડતનો ઇતિહાસ ગૂંજતો કર્યો હતો તેનું પણ આ સંદર્ભમાં સ્મરણ કર્યુ હતું.

તેમણે ઉમેર્યુ કે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ જેમ ગામડે-ગામડે, નેસડે-નેસડે ફરીની લોકકથાઓ-લોકસાહિત્યનું પૃથ્થકરણ કરીને એકત્ર કર્યા હતા તે જ પરિપાટીએ જેલની વાતોમાં પણ ઇતિહાસ રોમાંચને ઊજાગર કરવાની સંભાવનાઓ પડેલી છે તે ઊજાગર થવી જોઇએ.

મુખ્યપ્રધાને સ્કોચ એવોર્ડ સર્ટિફિકેટ અર્પણ કર્યું
કોરોના મહામારી દરમ્યાન રાજ્યની જેલોમાં કેદીઓમાં કોરોના પ્રિવેન્શન, માસ્ક-સેનિટાઇઝરના સ્વયં ઉત્પાદનથી આત્મનિર્ભરતા અને કોમ્યુનિકેશન નેટવર્ક અને કેદી સુધારણા પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટતા અંગેનો પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ દેશમાં એકમાત્ર ગુજરાતને મળ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ સ્કોચ એવોર્ડ સર્ટીફિકેટ પણ આ અવસરે રાજ્યની જેલોના વડા અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન.રાવને અર્પણ કર્યો હતો.

 

Published On - 3:37 pm, Tue, 31 August 21

Next Article