Gandhinagar : ભારે વિરોધ બાદ GUVNLના કર્મચારીઓની હડતાળ સમેટાઈ છે. વર્ષ 2016થી બાકી એરિયર્સ અંગેની માગને લઈ કર્મચારીઓ ફરજ પરથી અડગા રહી વિરોધ નોંધાવી રહ્યા હતા. જોકે સરકારે કર્મચારીઓની માગ સંતોષી લેતા મામલો થાળે પડ્યો છે. ગાંધીનગરમાં નાયબ મુખ્ય પ્રધાન, ઉર્જા પ્રધાનની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. વીજ કંપનીઓ દ્વારા 10 હપ્તામાં એરિયર્સની ચૂકવણી કરવાની ખાતરી આપવામાં આવતા, કર્મચારીઓએ પોતાની હડતાળ પાછી ખેંચી છે.