કોરોના-લોકડાઉનના ભયે, વતનની વાટ પકડતા સુરતના શ્રમજીવીઓ

|

Apr 09, 2021 | 10:40 AM

કોરોનાના ( Corona ) કેસ જે ઝડપે સામે આવી રહ્યાં છે તેનાથી ચિંતીત થઈ ઉઠેલા પરપ્રાંતિય શ્રમજીવીઓ ( workers ) પોતાના માદરે વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે. આવા શ્રમજીવીઓને ડર છે કે, કોરોનાને નિયંત્રણમાં લેવા માટે ફરીથી લોકડાઉન ( lockdown ) ના આવે ?

ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં (surat) કોરોનાની સ્થિતિ અતી ગંભીર છે. રોજબરોજ કોરોનાના ( corona) જે કોઈ આંકડાઓ સરકાર જાહેર કરે છે તેમાંથી 60 થી 70 ટકા દર્દીઓ સુરત અને અમદાવાદ શહેર-જિલ્લામાંથી જ આવે છે. આ સ્થતિને જોઈને લોકોમાં લોકડાઉન ( lockdown ) અંગે જે કોઈ કાનાફુસી થઈ રહી છે તેનાથી શ્રમજીવીઓમા ફડક પેઠી છે. પરીણામે આવા શ્રમજીવીઓએ વતનની વાટ પકડીને ચાલતી પકડી છે.

સુરતમાં કોરોનાના કેસ બહુ જ માત્રામાં સામે આવી રહ્યાં છે. કોરોનાના વઘતા કેસ અને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આપેલા લોકડાઉન નાખવા અંગેના નિર્દેશને પગલે, પરપ્રાંતમાંથી પેટીયુ રળવા માટે સુરત આવેલા પરપ્રાંતિય લોકો ફરી પોતાના વતન જઈ રહ્યાં છે. સુરત રેલ્વે સ્ટેશને ટ્રેનમાં બેસવા અને ટિકીટ માટે રેલ્વે સ્ટેશને, વતન જવા માટે પરપ્રાંતિયોની લાંબી લાંબી લાઈન લાગી હતી.

ગયા વર્ષે લાદેલા લોકડાઉન દરમિયાન અનેક પરપ્રાંતિય શ્રમજીવીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. ખાસ કરીને ટેક્સટાઈલ ક્ષેત્રે મજૂરી કરીને પેટીયુ રળતા પરપ્રાંતિય મજૂરોની હાલત અતિ કફોડી થવા પામી હતી. આ વખતે લોકડાઉન નાખવામાં આવશે તો શુ કરીશુ તેની ચિંતામાં જ કેટલાક તો હિજરત કરી રહ્યાં છે.

 

Next Video