જુનાગઢ(JUNAGADH) નજીકના કેટલાક ગામમાં રવિવારે (SUNDAY) સવારે 8:57 વાગ્યે ભૂકંપનો(EARTH QUAKE) આંચકો અનુભવ્યો હતો. જુનાગઢના ગીર ગામના ગામમાં 2.4 તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તાલાલાથી 9 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. જુનાગઢના આજુબાજુના વિસ્તાર જલંધર, લાડુડી, દેવગામ, કાત્રાસા ગામમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવાર-સવારમાં ભૂકંપનો આંચકો અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.