દ્વારકામાં શ્રાવણ સુદ અગીયારસના ઝીલણા એકાદશીની ઉજવણી,ભગવાન દ્રારકાધીશના બાળસ્વરૂપને પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું

|

Jul 30, 2020 | 2:20 PM

યાત્રાધામ દ્વારકામાં શ્રાવણ સુદ અગીયારસના જીલણા એકાદશીની ઉજવણી કરાઇ. આજના શુભદિને ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપને જગત મંદિરેથી પાલખીમાં બેસાડીને શહેરના રાજમાર્ગો પર ફેરવવામાં આવી. કોરોના મહામારીને પગલે સાદાઇથી કાઢવામાં આવી અને બાળસ્વરૂપને પંચામૃત કુંડમાં સ્નાન કરાવી આરતી ઉતારવામાં આવી. મહત્વપૂર્ણ છે કે વર્ષો જૂની પરંપરા મુજબ દર વર્ષે આજની જીલણા એકાદશીના રોજ ભગવાન દ્રારકાધીશના બાળસ્વરૂપને […]

દ્વારકામાં શ્રાવણ સુદ અગીયારસના ઝીલણા એકાદશીની ઉજવણી,ભગવાન દ્રારકાધીશના બાળસ્વરૂપને પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું
http://tv9gujarati.in/dwarka-ma-jal-zi…d-of-honor-aapyu/

Follow us on

યાત્રાધામ દ્વારકામાં શ્રાવણ સુદ અગીયારસના જીલણા એકાદશીની ઉજવણી કરાઇ. આજના શુભદિને ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપને જગત મંદિરેથી પાલખીમાં બેસાડીને શહેરના રાજમાર્ગો પર ફેરવવામાં આવી. કોરોના મહામારીને પગલે સાદાઇથી કાઢવામાં આવી અને બાળસ્વરૂપને પંચામૃત કુંડમાં સ્નાન કરાવી આરતી ઉતારવામાં આવી. મહત્વપૂર્ણ છે કે વર્ષો જૂની પરંપરા મુજબ દર વર્ષે આજની જીલણા એકાદશીના રોજ ભગવાન દ્રારકાધીશના બાળસ્વરૂપને નગરચર્યા કરાવાય છે અને તેમના દર્શન માત્રથી નગરજનોના દુખ દૂર થાય છે. જોકે પંચામૃત સ્નાન વિધી પૂર્ણ કર્યા બાદ ભગવાન દ્રારકાધીશના બાળસ્વરૂપને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. એસ.આર.પીના જવાનો દ્વારા દર વર્ષે જગતના નાથ એવા દ્રારકાધીશને ગાર્ડ ઓફ ઓનર અપાયું. મહત્વપૂર્ણ છે કે જ્યારે પ્રભુ પાલખી યાત્રામાં જગત મંદિર બહાર નીકળતા હોય છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા આ ગાર્ડ ઓફ ઓનર આપીને પોતાનો ભાવ પ્રગટ કરાતો હોય છે અને આજે પણ મહામારી વચ્ચે આ પરંપરા જાળવી રખાઇ.

Next Article